Abhayam News
AbhayamNews

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત.

દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની હાલત વધારે ગંભીર છે. વધતા કોરોના કેસના પગલે દિલ્હીમાં પાછલા 1 મહિનાથી પણ વધારે સમથી લાકડાઉન લગાવવામાં આવ્યું છે. જે હજુ પણ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31મી મે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.  

દિલ્હીમાં ફરી લંબાવવામાં આવ્યું લોકડાઉન
સીએમ કેજરીવાલે કરી લોકડાઉન વધારવાની જાહેરાત
31મી મે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે નવું લોકડાઉન

આ ઉપરાંત સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં આ રીતે જ ઘટાડો જોવા મળ્યો તો અમે 31મી મેથી તબક્કાવાર દિલ્હીમાં અનલોક કરવાનું શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ

Vivek Radadiya

NEETની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર

Vivek Radadiya

ખાનગીકરણ ને લઇ ને વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરાયો…

Abhayam