સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા સેતલવાડ/આર. બી. શ્રીકુમાર/સંજીવ ભટ્ટ સામે ગુનો દાખ કરી દીધો અને તે દિવસે જ ગુજરાત પોલીસ મુંબઈ પહોંચી ગઈ અને તીસ્તા સેતલવાડને એરેસ્ટ પણ કરી લીધી ! પોલીસે તીસ્તા સેતલવાડની 7 દિવસની રીમાન્ડ લીધી હતી;
40 દિવસથીથી વધુ સમય થઈ ગયો છતાં પોલીસ FIRના સમર્થનમાં કોઈ પુરાવો એકત્ર કરી શકી નહીં. તેથી તીસ્તા સેતલવાડે; 3 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી. હાઈકોર્ટ 6 અઠવાડીયાની મુદત-20 સપ્ટેમ્બરની આપી ! દીધી. કુલ 85 દીવસ માટે જેલમાં રહેવાનું ! હાઈકોર્ટે લાંબી મુદત આપી એટલે તીસ્તા સેતલવાડે સુપ્રિમકોર્ટમાં અરજી કરી. સુપ્રિમકોર્ટે 2 સપ્ટેમ્બર 2022ના રોજ વચગાળાના જામીન ઉપર તીસ્તા સેતલવાડને મુક્ત કરી છે.
![](https://abhayamnews.com/wp-content/uploads/2022/09/teesta.jpg)
થોડાં પ્રશ્નો :
[1] પોલીસ ગુનો દાખલ કરવામાં હરખપદુડી થાય છે; પણ આરોપી સામે પુરાવા એકત્ર કરવામાં આળસ કેમ કરે છે?
[2] એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી; કેમ? FIR નોંધ્યા બાદ 60 દિવસ સુધી કોઈ પુરાવો જ ન મળે; એવું કઈ રીતે બને? પોલીસ તો ઉપરની સૂચના મુજબ ગુનો દાખલ કરી દે; ગુનો બન્યો જ ન હોય તો પુરાવા ક્યાંથી મળે? આરોપી જેલમાં રહે; તે સમાજમાં બદનામ થાય; એ હેતુ જ પોલીસનો હશે ને? ‘સત્તાપક્ષ’ને રાજીરાજી કરીને, પ્રમોશન અને મલાઈદાર પોસ્ટિંગ મેળવવાનો; પોલીસનો ગંદો ઈરાદો હશે ને?
[3] તીસ્તા સેતલવાડ સાથે બીજા બે આરોપીઓ છે; પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ. આ બન્ને અધિકારીઓએ જાકીયા ઝાફરીની ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી; આ કારણસર તેઓ આરોપી બની જાય?
[4] પોલીસે તીસ્તાના 7 દિવસના રીમાન્ડ મેળવ્યા; પરંતુ FIRના સમર્થનમાં કોઈ પુરાવો એકત્ર ન કર્યો ! પોલીસે તપાસના 60 દિવસ બાદ ચાર્જશીટ મૂક્યું નહી. તીસ્તા સામેનો ગુનો મર્ડરનો ન હતો. પોલીસ તપાસ ચાલુ નથી. તો તીસ્તાને જેલમાં કઈ રીતે રાખી શકાય? જો બીનજામીનપાત્ર ગુનાઓમાં જામીન મળતા હોય તો તીસ્તા સેતલવાડને જામીન ઉપર છોડવામાં વાંધો શો?
![](https://abhayamnews.com/wp-content/uploads/2022/09/Varavara-Rao-1024x639.jpg)
તીસ્તા સેતલવાડ પાસે ‘અસલી ડીગ્રી’ છે; આર્થિક રીતે સદ્ધર છે; એટલે હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટ સમક્ષ ન્યાય મેળવવા વકીલો રોકી શકે છે; પરંતુ જે આરોપીઓને વકીલોની મોંઘી ફી પોસાય નહીં, તેમણે તો જેલમાં જ રહેવાનું ને? આ કેવી ન્યાય વ્યવસ્થા?rs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…