Abhayam News
AbhayamEditorialsIPS Ramesh Savani

IPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

લોક ગાયિકા નેહાસિંહ રાઠોડે 31 ઓગષ્ટ 2022ના રોજ, વૃંદાવન નિવાસી દેવ મુરારીબાપૂનો વીડિઓ ટ્વિટ કર્યો છે. આ બાપૂના મત મુજબ કુર્મી પટેલો-પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

હિન્દુત્વનો ઝંડો ઊઠાવનારાઓ; સૂતાધારી અને માલાધારી વચ્ચેનો ફરક સમજતા નથી ! સૂતાધારી એટલે જે જનોઈ ધારણ કરે છે; અને માલાધારી એટલે જે માળા ધારણ કરે છે. દેવ મુરારીબાપૂ કહે છે : “એ જાતિનો કુર્મી પટેલ છે, હું રઘુવંશી છું. સંતોમાં જાતિના બે જાતિભેદ છે. જો કોઈ છોટી જાતિનો હોય તો તેને માલાધારી કહે છે અને જો બ્રાહ્મણ/ઠાકુર/વૈશ્ય જાતિના હોય તો તેને સૂતાધારી કહે છે. હું સૂતાધારી છું. સૂતાધારીને મંદિરમાં પૂજાનો અધિકાર છે. માલાધારીને મંદિરમાં ઘૂસવા ન દેવાય/રસોઈમાં ઘૂસવા ન દેવાય, કેમકે એ કુર્મી પટેલ છે. કુર્મી તેની જાતિ મુજબ ચાલે, રઘુવંશી સાથે ટક્કર લેવાની કોશિશ ન કરે !”

પોલીસ, 1 ડીસેમ્બર 2021ના રોજ દેવ મુરારીબાપૂને, એક ગુનાના કામે એરેસ્ટ કરવા ગઈ ત્યારે દેવ મુરારીબાપૂએ ચાકૂ લઈ પોતાના હાથની નસ કાપવાનો ઢોંગ કરેલ ! પોલીસે દેવ મૂરારીબાપૂને બળજબરી કરીને એરેસ્ટ કરેલ; એ પોલીસમાં કુર્મી/ OBC/ SC/ ST/મુસ્લિમો હતા; તેનો વિરોધ કેમ ન કર્યો? સવાલ એ છે કે સંતોમાં પણ જાતિવાદ? હિન્દુત્વ-હિન્દુત્વનો ગોકીરો કરનારને શું સમજવું? આ સ્વામિઓ જ્યારે હોસ્પિટલાઈઝડ થાય ત્યારે બ્લડ લેતી વખતે પાટીદારો/OBC/SC/STનું બ્લડ કેમ લેતા હશે? અરે, મુસ્લિમનું બ્લડ કેમ લેતા હશે? આ બાપૂઓ/ સ્વામિઓ/ સંતો જે ઘઉં/શાકભાજી/દૂધ ખાય છે તેનું ઉત્પાદન પાટીદારો/ OBC/ SC/ ST/મુસ્લિમો કરે છે; છતાં કેમ ખાતા હશે?rs

Related posts

પ્રેમાનંદજી મહારાજ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા 

Vivek Radadiya

ભારતના ટોપ-10 ગેંગસ્ટર

Vivek Radadiya

અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે નાસા

Vivek Radadiya