Abhayam News
AbhayamSports

કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો આધાર કેપ્ટન રોહિત શર્માના એક નિર્ણય પર નિર્ભર!

Team India's victory in the Cape Town Test depended on one decision of captain Rohit Sharma!

કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો આધાર કેપ્ટન રોહિત શર્માના એક નિર્ણય પર નિર્ભર! રોહિત શર્માનો યોગ્ય નિર્ણય ભારતને કેપટાઉન ટેસ્ટ જીતાડી શકે છે અને જો નિર્ણય ખોટો પડ્યો તો ટેસ્ટની સાથે સિરીઝ ડ્રો કરવાની તક પણ ભારત ગુમાવશે. આ નિર્ણય કેપટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઈંગ 11માં બે ખેલાડીઓમાંથી એકની પસંદગી કરવા સાથે જોડાયેલો છે.

સેન્ચુરિયનમાં કારમી હાર બાદ કેપટાઉનમાં સિરીઝ ટાઈ થશે કે પછી ક્લીન સ્વીપ થશે તે ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર નિર્ભર રહેશે. પરંતુ તે પહેલા આમાં કેપ્ટનનો નિર્ણય પણ મહત્વનો રહેશે. ટીમનું કોમ્બિનેશન કેવું હશે, કન્ડિશન અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને કેવા ખેલાડીઓ હશે, તે મોટાભાગે કેપ્ટનના નિર્ણય પર નિર્ભર કરે છે.

રોહિત અશ્વિન-શાર્દુલમાંથી કોને પસંદ કરશે?

રોહિત શર્મા જ્યારે કેપટાઉન ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવા મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર માત્ર એક જ વસ્તુ પર રહેશે કે તે અશ્વિન અને શાર્દુલ ઠાકુરમાંથી કોને પસંદ કરશે? કેપટાઉન ટેસ્ટમાં ભારતની જીત કે હાર રોહિત શર્માના આ નિર્ણય પર નિર્ભર રહેશે. સેન્ચ્યુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આ બંનેમાંથી કોઈએ પણ સારું પ્રદર્શન નથી, સાથે જ કેપટાઉનમાં પણ આ બંને ખેલાડીઓનો અગાઉનો રેકોર્ડ સારો રહ્યો નથી.

કેપટાઉનમાં અશ્વિન અને શાર્દુલનો રેકોર્ડ

અશ્વિને કેપટાઉનમાં અત્યાર સુધી 2 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે માત્ર 2 વિકેટ લીધી છે. જ્યારે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરના નામે પણ 2 જ વિકેટ છે. જો સેન્ચુરિયનમાં રમાયેલી તેની છેલ્લી ટેસ્ટ મેચની વાત કરીએ તો તેણે ત્યાં બંને ઈનિંગમાં એક-એક વિકેટ લીધી હતી.

શાર્દુલ અનફિટ હશે તો અશ્વિનને તક મળશે!

તે સ્પષ્ટ છે કે અશ્વિન કે શાર્દુલ ઠાકુર બંનેમાંથી કોઈનું પ્રદર્શન સારું નથી. તેમ છતાં જો બંનેમાંથી એક ખેલાડીની પસંદગી કરવી હોય તો ભૂતકાળના પ્રદર્શનના આધારે રોહિત શર્મા શાર્દુલ ઠાકુર સાથે જવા ઈચ્છશે. જોકે, સવાલ એ પણ છે કે શું શાર્દુલ ઠાકુર ફિટ છે? કારણ કે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના ખભામાં ઈજા થઈ હતી, જેના પછી સમાચાર આવ્યા કે તે બીજી અને છેલ્લી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

રોહિત શાર્દુલને પસંદ કરી શકે છે

કેપ્ટન રોહિત શર્મા અશ્વિનની જગ્યાએ શાર્દુલને તક આપી શકે છે, જેનું મુખ્ય કારણ કેપટાઉનમાં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ હોઈ શકે છે. છેલ્લી વખત જ્યારે ટીમ ઈન્ડિયા કેપટાઉનમાં રમવા આવી હતી ત્યારે રબાડા અને જોન્સન જેવા બોલરોએ 7-7 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે કેપટાઉનમાં રમાયેલી 4 ઈનિંગ્સમાં 10 વિકેટ પણ લીધી છે.

Related posts

પરમવીર ચક્ર ભાગ-૧ “સૂબેદાર જોગિંદર સિંહ”

Abhayam

ફોન હેક કરીને લોકો સાથે છેતરપિંડી

Vivek Radadiya

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને ફરી એક વખત ફટકારી જાણો શું કહ્યું..

Abhayam