ઉપલેટા, ભાયાવદર પંથકમાં સોમવારે રાતે જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયાં હતાં.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-22-at-08.59.55.jpeg)
આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-22-at-08.59.56-2.jpeg)
એના ભાગરૂપે સોમવારે રાતે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-22-at-08.59.58-768x1024.jpeg)
અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…