ઉપલેટા, ભાયાવદર પંથકમાં સોમવારે રાતે જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયાં હતાં.

આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે.

એના ભાગરૂપે સોમવારે રાતે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી

અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…