Abhayam News
AbhayamNews

શિક્ષક સજ્જતા કસોટી લેવાશે શિક્ષણમંત્રીએ કહ્યું.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જોઈએ. 

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષક સંઘો આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. શિક્ષણ સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજીને રાજ્યના શિક્ષણ વિભાગ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

રાજ્યના શિક્ષમ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, મંગળવારે લેવામાં આવનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ જ રહેશે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, આવતીકાલે યોજાનાર શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જોઈએ.

જેને સાંભળતા હોઈએ તેની શિક્ષણ વિભાગે ચિંતા કરી છે અને ધોરણ પ્રમાણે બાળકને લખતા-વાંચતા આવળવું જોઈએ, તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 29 જુલાઈએ બંને શિક્ષણ સંઘો સાથે બેઠક કરી હતી. અગ્ર સચિવ વિનોદ રાવ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ મરજીયાત છે. આ નાપાસ કસોટી પણ નથી. તેને માત્ર સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે.

આ નોંધનો ઉલ્લેખ શિક્ષકના કરિયરની સેવાપોથીમાં  ક્યાંય કરવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, બે લાખ 18 હજારથી વધુ શિક્ષકોએ તેની સંમતિ આપી છે, જેને હું અભિનંદન આપુ છું. આ કાર્યક્રમ ગુણવત્તા સુધારવા માટે છે. 

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, આ નવી એજ્યુકેશન પોલિસી અને આખા દેશમાં 2009માં યૂપીએ સરકાર વખતે પોલિસી આવી હતી, જેમાં વિદ્યાર્થી પહેલા ધોરણમાં બેસે અને દસમાં ધોરણમાં નીકળે, તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે.

આ કાચા રહેલા પાયાને ભરપાય કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, બાળકોએ ભવિષ્યના નાગરિક છે અને તે સારૂ શિક્ષણ લઈને આગળ વધે તે સરકાર, શિક્ષક અને સમાજ સૌની ફરજ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શું તમને ડીઝલ ગાડી પસંદ છે? 

Vivek Radadiya

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો…

Abhayam

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  

Vivek Radadiya