Abhayam News
AbhayamGujaratNews

નવરાત્રિ પહેલા ઘરમાંથી હટાવી દો આ વસ્તુઓ, સુધારો વાસ્તુ, અન્યથા યોગ્ય ફળ નહિ મળે

નવરાત્રિ અને વિજયાદશમી, હિંદુઓના સૌથી લોકપ્રિય તહેવારોમાંના એક છે. શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને આ તહેવાર 24 ઓક્ટોબરે વિજયાદશમી સાથે સમાપ્ત થશે

દર વર્ષે શારદીય નવરાત્રિ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમી તિથિ સુધી ચાલુ રહે છે. વિજયાદશમી નવમીના દિવસે એટલે કે દશમીના દિવસે ઉજવવામાં આવે છે, જે દેશના ઘણા ભાગોમાં દશેરા તરીકે પણ ઉજવવામાં આવે છે.

.

આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી છે અને વિજયાદશમી 24 ઓક્ટોબરે છે. આ નવરાત્રિ દરમિયાન શક્તિની દેવી દુર્ગાની પૂજા કરતા પહેલા તમારા ઘરનુ વાસ્તુ સુધારી લો, નહીં તો પૂજાનું યોગ્ય પરિણામ મળવાની શક્યતાઓ ઘટી જાય છે.

નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ

સૌથી પહેલા પૂજા રૂમને વ્યવસ્થિત કરી લો. તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. અહીં પડેલા તમામ જૂના રક્ષા સૂત્ર, તૂટેલી ફોટો ફ્રેમ, જૂના ફાટેલા કપડા વગેરે કાઢી નાખો. પૂજા સામગ્રી જે ઘણી જૂની છે તેને દૂર કરો, પૂજા સ્થાન પર સકારાત્મકતા હોવી જોઈએ. જો ઘરમાં ક્યાંક કચરાના ઢગલા હોય કે જૂની તૂટેલી વસ્તુઓ હોય તો તેને તરત જ કાઢી નાખો. નવરાત્રિ દરમિયાન નવીનતાનું વાતાવરણ હોવું જોઈએ. આવી સ્થિતિમાં કચરાના ઢગલા નકારાત્મક વાતાવરણ સર્જે છે.

રસોડું એ અન્નપૂર્ણાનું ધામ છે. જો રસોડામાં તૂટેલા વાસણો પડેલા હોય તો તેને દૂર કરો. જો ઘરમાં કોઈ બિનઉપયોગી મશીનરીની વસ્તુ રાખવામાં આવી હોય તો તેને તરત જ કાઢી નાખો.

ઘરની દરેક વસ્તુને વાસ્તુની દૃષ્ટિએ વ્યવસ્થિત કરવી જોઈએ અને પછી આ સંગઠિત વાતાવરણમાં દેવી માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને બધું જ શુભ બને છે

આ વર્ષે શારદીય નવરાત્રીનો શુભારંભ 15 ઓકોટબરના રોજ કળશ સ્થાપના સાથે થશે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થશે. આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઇ આવશે, જે આપણા બધા માટે શુભ રહેશે. આ વર્ષની શારદીય નવરાત્રીમાં તમે તમારા માટે વધુ શુભ બનાવી શકો છો. એના માટે તમારે નવરાત્રીના રોજ કળશ સ્થાપના અથવા પર્વના પહેલા દિવસે માતા દુર્ગા સબંધિત કેટલીક લકી વસ્તુની ખરીદી કરી ઘરે લાવું પડશે. એનાથી તમારા ઘરમાં માતા દુર્ગાનું આગમન થશે અને તમારા દુઃખોનો અંત આવશે. માતારાણીના આશીર્વાદ તમારા માટે જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે. કેન્દ્રીય સંસ્કૃત વિષવિદ્યાલય પુરીના જ્યોતિષી ડો ગણેશ મિશ્રા જણાવી રહ્યા છે નવરાત્રીમાં કઈ વસ્તુ ખરીદવી જોઈએ.

Related posts

શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો?

Vivek Radadiya

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 

Vivek Radadiya

દિલ્લી સરકાર કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને આ રીતે વળતર આપશે ..

Abhayam