બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું છે. જેતપુરના હાર્દ સમા કણકીયાપ્લોટમાં આવેલ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યૂ ઘણા સમયથી જેતપુર-નવાગઢ નગરપાલિકાની બેદરકારીના કારણે રોશની વગર જોવા મળી રહ્યુ છે.

જેતપુરના અનુ.જાતિ સમાજ દ્વારા ચીફ ઓફિસરને પણ આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી…
ડો. આંબેડકરના સ્ટેચ્યૂપાસે રોશનીની વ્યવસ્થા કરવામાં આવે અને સ્ટેચ્યુનું સમારકામ કરવામાં આવે પણ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આવા આપવામાં આવતા આવેદનો ગળી જવામાં જ આનંદ આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…