Abhayam News
AbhayamGujarat

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે VTV ગુજરાતીની ટીમ જ્યારે બિલોદરા ગામે પહોંચી તો અમને અહીં રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. આ તરફ સવારે મળેલી ખાલી સિરપની બોટલ પર અમદાવાદનું એડ્રેસ હોવાથી VTV ગુજરાતીની ટીમ તે સ્થળે પહોંચી હતી. અલારામ એસ્ટેટ પર VTV NEWSની ટીમે તપાસ કરતા એવું કોઈ એસ્ટેટ નહિ હોવાનું ખુલ્યું છે. આ તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ બિલોદરા ગામમાં તપાસ માટે પહોંચી તો SMC વડા નિર્લિપ્ત રાય પણ બિલોદરા ગામમાં પહોંચ્યા છે. 

It was found that by adding intoxicant, cough syrup was made

ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મોત બાદ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે VTV NEWSની ટીમે સિરપ બનાવતી ફેકટરીને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. હેલ્થકેર આયુર્વેદિક નામની કંપની સિરપનુ વેચાણ કરતી હોવાનું સામે આવતા સિરપની બોટલ પર લખેલ એડ્રેસ અલારામ એસ્ટેટ પર VTV NEWSની ટીમે તપાસ કરતા એવું કોઈ એસ્ટેટ નહિ હોવાનું ખુલ્યું હતું. આ તરફ હવએ શંકાસ્પદ કેફી પીણું બનાવવાના રેકેટની તપાસ શરૂ કરાઇ છે. મહત્વનું છે કે, દાણીલીમડામાં કફ શિરપ બનાવતા રેકેટનું કોઈ કનેક્શન છે કે નહીં તે મુદ્દે પણ તપાસ થશે. 

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર

5 લોકોના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ
ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ થઈ છે. સિરપને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાચ પણ એક્શનમાં આવી છે અને ક્રાઈમ બ્રાંચની ટીમની બિલોદરા ગામમાં તપાસ અર્થે પહોંચી છે. આ તરફ બિલોદરા ગામમાં SMC વડા નિર્લિપ્ત રાય પહોંચ્યા છે. પોલીસ કાફલો બિલોદરા પહોંચ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ખેડા SP બિલોદરા ગામ પહોચ્યા છે જ્યાં હાલ નિર્લિપ્ત રાય ખેડા SP સાથે બેઠક કરી રહ્યા છે.

Discussion among people about death due to questionable drinking

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરનું નિવેદન
આ તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યની 150 જગ્યા પર આયુર્વેદિક દવાનું ઉત્પાદન થાય છે. અગાઉ 5 સ્થળોએ સિરપ બનાવવાના પરવાના રદ કર્યા છે. કોઈપણ સિરપમાં વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, સિરપ પીવાથી મૃત્યુ થયા છે તેનો પ્રાથમિક રીપોર્ટ મંગાવાયો છે. શ્વાસની તકલીફ માટે સિરપ આપવામાં આવે છે. સિરપમાં મિથેનોલ સિવાય કેમિકલ હોવાની પ્રબળ શક્યતા છે. ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવ્યા હતા અને રાજસ્થાન અને દમણમાંથી આવી સિરપ જપ્ત કરાઈ હતી. આ સાથે વડોદરા, અમદાવાદ સહીત 5 સ્થળોએ આવા સિરપ બનાવવાના પરવાના રદ્દ કર્યા હતા. બહારના રાજ્યમાંથી સિરપ લેવાય છે જે ગંભીર છે. અગાઉ વડોદરામાંથી જથ્થો ઝડપાયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

Vivek Radadiya

IPLની હરાજી બાદ કઇ ટીમ થઇ સૌથી મજબૂત ? 

Vivek Radadiya

એટીએમ કાર્ડ વગર મોબાઈલથી આ રીતે પૈસા ઉપાડો

Vivek Radadiya