જમ્મૂ કાશ્મીર મુદ્દે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય સાંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભાના કામકાજની સુધારેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ બિલ કાશ્મીરી પંડિતો સાથે જોડાયેલ છે.
![Another big decision of Modi government on Jammu and Kashmir issue](https://www.vtvgujarati.com/sites/default/files/news_image/5_264.jpg)
આ બિલ દ્વારા સરકાર રાજ્યના વિસ્થાપિત એટલે એક કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના વિસ્થાપિત વ્યક્તિઓ માટે એક બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે.
કાશ્મીરના નેતાઓ પહોંચ્યા દિલ્હી, ભારે હલચલ અને હાઇઅલર્ટ
વર્ષ 2019માં કાશ્મીરમાંથી ધારા 370 હટાવી દીધા બાદ પહેલીવાર આટલી મોટી બેઠક થવા જઈ રહી છે. આ મીટિંગમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે તેનો કોઈ એજન્ડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. જોકે રાજ્યમાં ચૂંટણી અને સીમાંકન મુદ્દે અટકળો ચાલી રહી છે. બેઠક પહેલા જમ્મુ કશ્મીરમાં અપાયું 48 કલાકનું હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે
2018માં ભાજપે સમર્થન પરત ખેંચ્યા બાદ મહબૂબા મુફ્તી સરકાર પડી ગઈ હતી. ત્યારે 19 જૂન 2018થી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાડવામાં આવ્યું હતું. તે સમયે આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ન હતું.નવેમ્બર 2018માં વિધાનસભા ભંગ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશના આધારે વિધાનસભા ભંગ થવાના 6 મહિનામાં જ ચૂંટણી કરાવવાની હતી, પરંતુ તેવું ન થઈ શક્યું. લોકસભા ચૂંટણી પછી 5 ઓગસ્ટ 2019નાં રોજ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 ખતમ કરી દીધો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે