Abhayam News
Abhayam

સચિન તેંદુલકર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે માલદીવ ફરવા નહીં જવાની અપીલ કરી

Stars including Sachin Tendulkar and Akshay Kumar appealed not to visit the Maldives

સચિન તેંદુલકર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે માલદીવ ફરવા નહીં જવાની અપીલ કરી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર અને બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સહિત મોટી મોટી હસ્તીઓએ પણ માલદીવના મંત્રીના વિવાદીત નિવેદનના વિરોધમાં ભારતીય દ્વીપોનું સમર્થન કર્યું છે. એક મંત્રી સહિત અમુક માલદીવિયોએ એક્સ પર ભારત વિરોધી ટિપ્પણી પોસ્ટ કરી હતી, જેની ભારતમાં ખૂબ જ ટિકા થઈ રહી છે. ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ અને તેના પર્યટન સ્થળોનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે. માલદીવને પ્રધાનમંત્રી મોદીની હાલમાં લક્ષદ્વીપ યાત્રાથી ખૂબ જ તકલીફ થઈ છે. પોતાની આ યાત્રા દરમ્યાન મોદીએ અહીં વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું અને લક્ષદ્વીપના સુંદર સમુદ્ર તટ પર મુલાકાત લીધી હતી. સમુદ્રમાં સ્નોર્કલિંગ કરતા મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને એક્સ પર ટોપ ટ્રેડિંગમાં રહી હતી.

સચિન તેંદુલકર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે માલદીવ ફરવા નહીં જવાની અપીલ કરી

અક્ષય કુમારે એક્સ પર પોસ્ટ કરતા માલદીવના મુખ્ય સાર્વજનિક હસ્તીઓ દ્વારા ભારતીયો પર ધૃણિત અને નસ્લવાદી ટિપ્પણીઓ કરી હતી. નવાઈ લાગે છે કે કે એક એવા દેશ વિશે બોલી રહ્યા છે, જે સૌથી વધારે સંખ્યામાં પર્યટક મોકલે છે. અમે પણ પાડોશીઓ પ્રત્યે સારા છીએ, પણ આપણે આવી કારણ વગરની નફરત કેમ સહન કરવી જોઈએ? મેં ઘણી વાર માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેના વખાણ કર્યા છે, પણ ગરિમા પહેલા છે

સચિન તેંદુલકરે ભારતીય દ્વીપોના વખાણ કર્યા

સચિન તેંદુલકરે એક્સ પર લખ્યું છે કે સિંધુદુર્ગમાં મારો 50મો જન્મદિવસ મનાવતા 250થી વધારે દિવસ થઈ ગયા છે. તટીય શહેર આપણને બધું જ આપે છે, જે આપણે જોઈએ છીએ અને તેનાથી પણ વધારે. અદ્ભૂત આતિથ્ય સાથે ભવ્ય સ્થાન અમારા માટે યાદોનો ખજાનો આપ્યો. ભારતને સુંદર સમુદ્ર તટ અને પ્રાચીન દ્વીપોના આશીર્વાદ મળેલા છે. આપણા અતિથિ દેવો ભવના દર્શન સાથે, આપણી પાસે શોધવા માટે ઘણું બધું છે, ઘણી બધી યાદો બનવાની પ્રતીક્ષા કરી રહી છે.

વર્ષ 2023માં 209,198 ભારતીય ટૂરિસ્ટ માલદીવ ફરવા ગયા હતા. તો વળી રશિયાના લોકો માલદીવ જવામાં બીજા નંબરે છે. વર્ષ 2023માં રશિયામાંથી 209,146 લોકો માલદીવ ફરવા આવ્યા હતા. માલદીવના ટૂરિઝ્મમાં ભારત અને રશિયાની ટકાવારી 11.1 ટકા છે. જો કે, ચીનમાંથી આવતા ટૂરિસ્ટની સંખ્યામાં અચાનક વધારો થયો છે. માલદીવ પહોંચનારા ચીનના ટૂરિસ્ટ ત્રીજા નંબર પર છે. 2022ની રેન્કીંગના હિસાબથી ચીની ટૂરિસ્ટની સંખ્યામાં 27માં નંબર પર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 1 લાખ કરોડનાં સંભવિત રોકાણ

Vivek Radadiya

સુરાના અને કન્સલ ગૃપ પાસેથી 250 કરોડથી વધુના ડૉક્યૂમેન્ટને કરાયા જપ્ત

Vivek Radadiya

સુરત પોલીસ કમિશનર એ ગેસ્ટ હાઉસ, હોટલોના માલિકોને આ સૂચન આપ્યું…

Abhayam