Abhayam News
AbhayamGujarat

PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ

PM Modi appealed to 140 crore citizens

PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેન અને રેલ્વે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીનાં રોજ  અયોધ્યા ન આવે.  તેમણે કહ્યું કે, “તમે 550 વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ.”

PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ

અહીં આવવાનું મન ન બનાવવું-PM મોદી
તેમણે કહ્યું કે,” દરેકને ઈચ્છા છે કે 22 જાન્યુઆરીનાં રોજ આયોજનમાં જોડાવા માટે તેઓ સ્વયં આયોધ્યા આવે પણ દરેકનું અહીં આવવું શક્ય નથી. તેથી તમામ રામભક્તોને મારો આગ્રહ છે કે 22 જાન્યુઆરીનાં એકવખત વિધિપૂર્વક કાર્યક્રમ થઈ જાય તે બાદ તમારી સુવિધા અનુસાર અયોધ્યા આવો અને 22 જાન્યુઆરીનાં અહીં આવવાનું મન ન બનાવો.”

PM Modi appealed to 140 crore citizens

ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનાં ઉપલક્ષે પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી. તેમણે કહ્યું કે,” આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણાં જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ 140 કરોડ દેશવાસીઓ 22 જાન્યુઆરીનાં પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી અને દિવાળી ઊજવવી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam

સુરતના આ છોકરાએ ‘ખલાસી’ ગીતનું હિન્દી વર્ઝન કર્યું ક્રીએટ

Vivek Radadiya

આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો

Vivek Radadiya