Abhayam News
AbhayamNewsSports

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માનો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતનો મોટો પ્રશ્ન: જો કેએલ રાહુલ ઓપન કરે છે, વિરાટ  કોહલી નંબર 3 પર રમે છે, તો મિડલ ઓર્ડરમાં કોણ ચૂકી જાય છે? - Truefinite

છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલના ફોર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં એશિયા કપ (Asia Cup)માં શાનદાર પ્રદર્શન કરનારા વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને એવી માગ ઉઠવા લાગી હતી કે, ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup)માં તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએ. જોકે, તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું તદ્દન અલગ માનવું છે.

કેપ્ટન રોહિતે ઓસ્ટ્રેલિયા (India vs Australia T-20 Series) સામે ત્રણ ટી-20 મેચોની સીરિઝ પહેલા થયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, કોહલી તેની સાથે ઈનિંગ્સની શરૂઆત કરવાનો એક વિકલ્પ છે. તે સાથે જ તેણે સ્પષ્ટ કર્યું કે, ટી-20 વર્લ્ડ કપમાં કેએલ રાહુલ (KL Rahul) જ તેની સાથે ઓપનિંગ કરશે. મીડિયા સાથે વાત કરતા રોહિતે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ બધા ખેલાડીઓની ભૂમિકાને લઈને સ્પષ્ટ છે.

Rahul vs Kohli: KL Rahul or Virat Kohli? Aakash Chopra names India's  first-choice opener for T20 World Cup 2021 | Cricket News

સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે? વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં1 રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ તે એટલું સરળ નહીં હોય. મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી બેટિંગ ફોર્સ છે. કોહલી ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો બેટ્સમેન છે. જ્યારે તે મિડલ ઓર્ડરમાં રમે છે ત્યારે આખી ટીમ તેની આસપાસ રમે છે.

ભારતીય કેપ્ટને હળવા અંદાજમાં કહ્યું કે, ‘જો તમે છેલ્લા બે-ત્રણ વર્ષના તેના પ્રદર્શન પર ધ્યાન આપશો તે ઘણું સારું રહ્યું છે. હું બધાને એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, આ અંગે અમારો સ્પષ્ટ મત છે અને બહાર કઈ ખિચડી પકાવાઈ રહી છે, અમે તે સારી રીતે જાણીએ છીએ.’

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માએ જણાવ્યું -  rohit sharma makes it clear that who will open in t20 worl cup kl rahul or  virat kohli -

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા પાસે ઓપનિંગમાં ઘણા વિકલ્પો હશે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડા જેવા બેટ્સમેન ઓપનિંગના દાવેદાર હશે. જોકે, T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ ટીમ ઈન્ડિયાની મુખ્ય ઓપનિંગ જોડી હશે.

ઓસ્ટ્રેલિયાની સામે સીરિઝ પછી ભારત ત્રણ મેચોની સીરિઝ માટે સાઉથ આફ્રિકાની યજમાની કરશે અને તે પછી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. રોહિતે આ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે એશિયા કપમાં કોહલીની સદી સંદર્ભે કહ્યું કે, ‘રાહુલ ભાઈ (મુખ્ય કોચ રાહુલ દ્રવિડ) અને મારી વાત થઈ કે, આપણે કેટલીક મેચોમાં વિરાટ પાસે ઓપનિંગ કરાવવું જોઈએ, કેમકે તે આપણો ત્રીજો ઓપનર બેટ્સમેન છે. ગત મેચમાં આપણે જોયું કે, ઓપનર બેટ્સમેન તરીકે તેણે શું કર્યું અને અમે તેના એ પ્રદર્શનથી ઘણા ખુશ છીએ.’

Related posts

આ ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલા ફેરફારો આવ્યા છે, જાણીએ 

Vivek Radadiya

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન

Vivek Radadiya

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા

Vivek Radadiya