Abhayam News
LawsNews

UIDAIએ કહ્યું PVC કાર્ડ બનાવવું ફરજીયાત નથી, આધાર કાર્ડના માટે તમામ ફોર્મેટ માન્ય

આધાર કાર્ડ ઈશ્યુ કરનાર અને તે સંબંધિત સર્વિસ આપનારી ઓથોરિટી UADAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડના તમામ 3 ફોર્મેટ માન્ય ગણાશે. UIDAI અનુસાર, સામાન્ય આધાર કાર્ડ અથવા PVC આધાર કાર્ડ માન્ય ગણાશે. નાગરિકોએ આધાર કાર્ડના એક ફોર્મેટને બીજામાં બદલવાની અનિવાર્યપણે જરૂરિયાત નથી.

હાલ આધારના 3 ફોર્મેટ

હાલ આધાર લેટર, ઈ-આધાર અને PVC એમ ત્રણ પ્રકારના આધાર કાર્ડના ફોર્મેટ છે. PVC કાર્ડને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. UIDAI અનુસાર, આધાર કાર્ડના ત્રણેય ફોર્મેટ માન્ય ગણાશે. નાગરિકો તેમની સુવિધા પ્રમાણે ફોર્મેટની પસંદગી કરી શકશે. તેથી કોઈ અફવા પર ધ્યાન ન આપો કે PVC કાર્ડ અન્ય 2 ફોર્મેટના આધાર કાર્ડ કરતાં વધારે વેલિડ છે અથવા હવે ઈ-આધાર માન્ય નહિ ગણાય.

તાજેતરમાં શરું ખરી છે PVC કાર્ડની સુવિધા

UIDAIએ તાજેતરમાં PVC (પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ) પર રીપ્રિન્ટ કરાવાની સુવિધા શરૂ કરી. તે કાર્ડ ATM અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા પોકેટમાં સમાઈ જશે. તે જલ્દી ખરાબ પણ નહિ થાય. આ કાર્ડ બનાવવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.

કઈ રીતે મેળવશો PVC કાર્ડ

– સૌ પ્રથમ https://uidai.gov.in કે https://resident.uidai.gov.in પર વિઝિટ કરો.
-‘Order Aadhaar Card’ સર્વિસ પર ક્લિક કરો.
– તમારો 10 અંકવાળો આધાર નંબર (UID)કે 16 અંકવાળો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર (VID) કે 28 નંબરવાળો એનરોલમેન્ટ ID સબમિટ કરો.
– સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ નોંધો.
– OTP મેળવવા માટે રજિસ્ટર્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો ઓપ્શનલ નંબર અવેલેબલ હોય તો તે સબમિટ કરો.
– ‘Send OTP’ પર ક્લિક કરો.
– ‘Terms and Conditions’ મંજૂર થયા પછી ટિક કરો. (નોટ: હાઈપરલિંક પર ક્લિક કરો અને ડિટેલ્સ જુઓ)
– ‘OTP’ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
– એ પછી ‘Make payment’ પર ક્લિક કરવાની સાથે જ તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો, ત્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના ઓપ્શન મળશે.
– પેમેન્ટ સફળ થતા રિસિપ્ટ મળશે, તેની પર ડિજિટલ સિગ્નેચર હશે. SMS પર સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. તમે આ નંબરની મદદથી કાર્ડ ડિલિવર થયા સુધીની પ્રોસેસ ટ્રેક કરી શકશો.

અત્યાર સુધી 125 કરોડ લોકો પાસે છે આધાર

ડિસેમ્બર 2019માં UADAI દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દેશમાં રહેનારા 125 કરોડ નાગરિકોએ આધાર કાર્ડ બનાવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.

Related posts

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

Abhayam

જાણો:-ભારતમાં ક્રિકેટ મેચ રેફરી, અમ્પાયર ને કેટલો પગાર મળે છે?

Abhayam

તમે સુરતમાં રહો છો તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.

Vivek Radadiya