Abhayam News
AbhayamNews

સુરત:- ઉર્વશીને દારૂના નશામાં કચડી દેનાર અતુલ વેકરીયા એક મહિના બાદ લાજપોર જેલના હવાલે…

સુરત શહેરમાં 26 તારીખના રોજ બનેલી હીટ એન્ડ રનની ઘટના ચર્ચાસ્પદ બની હતી. સુરતની પ્રખ્યાત અતુલ બેકરીના (Atul Bakery owner Atul Vekaria) માલિક અતુલ વેકરીયાએ  બેફામ રીતે કાર હંકારતા એકસાથે 4 લોકોને અડફેટે લીધા હતા. ત્રણથી વધુ બાઈકને ઉડાવીને એક યુવતીને કચડી નાખીને કાયમ માટે મોતને ઘાટ ઉતારી દેનાર અતુલ વેકરીયા 18 તારીખે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને કારણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ અતુલ વેકરિયાને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે પ્રારંભિક તબક્કામાં આઈપીસી 304 (A) મુજબ ગુનો નોંધ્યો હતો અને ત્યાર બાદ તપાસના અંતે આઈપીસી 304 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર ઘટના એમ બની હતી કે, 26 તારીખના રોજ વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ નજીકથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક 4 મોપેડને અડફેટે લેતા એક યુવતી ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. જાણવા મળ્યું હતું કે, અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા.

મોડી રાત્રે અકસ્માત બાદ અતુલ વેકરિયા ભાગતો હતો લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેમ છતાં, કાર સવાર અતુલ બેકરીના અતુલ વેકરિયાને (Atul Vekariya) કથિત આરોપી તરીકે દેખાડતા સુરત પોલીસ ડરી રહી છે. ગઈકાલે દારુ પીધેલી હાલતમાં ત્રણથી વધુ બાઈકને ઉડાવીને એક યુવતીને કચડી નાખીને કાયમ માટે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવતી તેના ભાઈ સાથે ફ્રેંકી ખાવા માટે ગઈ હતી. પરંતુ યુવતીને ક્યાં ખબર હતી કે, આ પળો તેના જીવનની અંતિમ પળો હતી. યુવતી યુનિવર્સીટીમાં ક્લાર્ક હતી. યુવતીની ઓળખ ઉર્વશી ચૌધરી નામે થઈ છે. ભાઈ બીલ પેમેન્ટ કરવા માટે ગયો હતો. જેને કારણે ભાઈનો આબાદ બચાવ થયો છે.

અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા નશાની હાલતમાં ગાડી ચલાવતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક યુવતીનો ભોગ લેવાયો છે. મૃતક ઉર્વશીના ભાઇ નિરજ ચૌધરીએ ખાનગી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, અમે કોઇકવાર જ ફ્રેંકી લેવા માટે અહીં આવતા હતા. શુક્રવારે બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા થતા અમે ગયા હતા. તે મોપેડ પાસે જ બેઠી હતી અને હું ફ્રેંકીનો ઓર્ડર આપવા માટે ગયો હતો. જયારે ત્યારે જ ધસમસતી આવેલી વૈભવી કારના ચાલકે મારી બહેનને ઉડાડી હતી. હોસ્પિટલમાં લઇ જઉ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

ઘટનામાં મોતને ભેટેલ ઉર્વશીના ભાઇ નિરજ ચૌધરીએ માંગ કરી છે કે, અકસ્માતના કેસમાં મૃત્યુના બદલામાં મૃત્યુની સજા જ જોઇએ. પૈસાવાળા લોકો પૈસા ખવડાવીને છુટી જશે. ભવિષ્યમાં કોઇ આ રીતે અકસ્માત ન કરે તેનો દાખલો બેસવો જોઇએ.

અત્રે ઉલેખનીય છે કે, ઉમરા પોલીસે નોંધેલી મૃતક યુવતીના ભાઈની ફરિયાદમાં કાર સવાર કે કાર ચાલકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી , જયારે હકીકત તો એ છે કે આ ઘટનામાં ઘટના સ્થળેથી પકડાયેલા અને PCR વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાયેલા કથિત આરોપી અતુલ વેકરીયા હતા.

ઉમરા પોલીસે મૃતક ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજે નોંધાવેલી ફરિયાદમાં અતુલ વેકરીયાના નામનો ઉલ્લેખ કરવાને બદલે અજાણ્યા શખ્શ લખીને કથિત આરોપીને મોકળું મેદાન આપી દીધુ છે. પોલીસ દ્વારા ઇન્ડીયન પેનલ કોડની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪A અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અંતર્ગત કલમો ઉમેરવામાં આવી છે.

સમગ્ર ઘટના અંગે પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું સ્પષ્ટ હતું કે, કથિત આરોપી પીધેલી હાલતમાં હતો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી હતી. છતાં પોલીસે શા કારણે કથિત આરોપીને છાવરી રહી છે તે મોટો સવાલ થાય છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય રહ્યું હતું કે આરોપી અકસ્માત સમયે અસ્વસ્થ અવસ્થામાં હતા. ત્યારે પોલીસે કથિત આરોપીનો આલ્કોહોલ ટેસ્ટ કર્યો હશે કે નહી? તે મોટો સવાલ ખડો થયો છે.

કોણ છે કથિત આરોપી અતુલ વેકરીયા?
અતુલ બેકરીના નામે મોટી બિજનેસ ચેઈન ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે નજીકના સબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીના સીધા સંપર્કમાં છે.

Related posts

રાજ્ય સરકાર સતર્ક બની 

Vivek Radadiya

નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા …

Abhayam

વોટર IDને આધાર સાથે લિન્ક કરવા આપી મંજૂરી:-કેન્દ્રનો મોટો નિર્ણય….

Abhayam