Abhayam News
AbhayamNews

આરોપી મેહુલ ચોક્સી રવિવારથી લાપતા:-PNB કૌભાંડ..

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં આરોપી અને હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી લાપતા થયો છે. મેહુલ ચોક્સી એન્ટીગા અને બારબુડામાં લાપતા થયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર એટલી રૉડનેના કહેવા પ્રમાણે પોલીસ જેના લાપતા હોવાની અફવા છે તેવા ભારતીય વ્યવસાયી મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે. 2018માં ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગા એન્ડ બારબુડામાં રહેતો હતો.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરેબિયન દ્વીપ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા લેનારો ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. બાદમાં તેની ગાડી મળી પરંતુ ચોક્સીના કોઈ સગડ નથી મળ્યા. જાણવા મળ્યા મુજબ તેમના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો. 

એન્ટીગા પોલીસે ભાગેડુ કારોબારી અને આરોપી મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ નોંધ્યો છે. છેલ્લે તે રવિવારે (23 મે) સાંજે 5:15 કલાકે પોતાના નિવાસસ્થાનેથી કારમાં નીકળતો જોવા મળ્યો હતો. એન્ટીગાના જોનસન પોઈન્ટ પોલીસ સ્ટેશને આ અંગે કેસ દાખલ કર્યો છે. પોલીસે જનતાને ચોક્સી અંગે કોઈ માહિતી હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.

ચોક્સી અને નિરવ મોદી પંજાબ નેશનલ બેંકમાંથી કથિત 13,500 કરોડ રૂપિયાની હેરાફેરી કેસમાં સંડોવાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

Abhayam

રિલાયન્સે ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જીઓ નો નવો સ્માર્ટ ફોન ક્યારે આવશે બજાર માં ?…

Abhayam

Leave a Comment