સુરત : સુરતવાસીઓએ પાણી કાપનો સામનો કરવો પડશે આવતીકાલે 21 નવેમ્બરે શહેરના અનેક વિસ્તારમાં પાણી કાપનો લોકોએ સામનો કરવો પડશે. મેઇન્ટનેસ કારણોસર 15 લાખ લોકોને પાણી માટે મુશ્કેલી વેઠવી પડશે. સુરતીલાલાઓએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવો પડશે.
ઉધના ઝોન-એ, વરાછા, લિબાયત, સેન્ટ્રલ અને કતારગામ ઝોનને અસર થશે તેમ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે. ખટોદરા જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકીમાંથી નીચે ઉતરતી અને બહાર જતી લાઈનમાં રિપેરીંગની કામગીરી કરવામાં આવશે.
સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી કામ ચાલશે. આ ઉપરાંત 22 નવેમ્બરે પણ ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……