Abhayam News
AbhayamNews

સિલ્કયારા ટનલ ઓપરેશન

Silkyara Tunnel Operation

સિલ્કયારા ટનલ ઓપરેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે જાણકારી લીધી. 

Silkyara Tunnel Operation

સિલ્કયારા ટનલ ઓપરેશન

Silkyara Tunnel Operation

વ્યવસ્થાઓ વિશે પણ મેળવી જાણકારી 
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી પાસેથી જાણ્યું કે ટનલમાંથી કાઢ્યા બાદ શ્રમિકોના સ્વાસ્થ્ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે બધા શ્રમિતોને ટનલમાંથી નિકળ્યા બાદ સીધા ચિન્યાલીસોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્યાલીસોડ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સુવિધા અનુસાર રાજ્ય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. 

Silkyara Tunnel Operation

ભાવુક કરી દે તેવી ક્ષણ…
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્ક્યૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ એજન્સિઓ અને રાજ્ય સરકારના સમન્વયથી અમે 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા છે. ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા બધા 41 શ્રમિકોના સકુશલ બહાર આવવા અને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્મતને સલામ કર્યું છે. 

Silkyara Tunnel Operation

રેસ્ક્યૂ ટીમના કર્યા વખાણ 
પ્રધાનમંત્રી મોદીએ રેસ્ક્યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ- શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં શામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્ભૂત મિસાલ કાયમ કરી છે. 

Silkyara Tunnel Operation

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી રહ્યું, “ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શું ‘પ્રેસ રજિસ્ટ્રેશન બિલ’થી ખરેખર મીડિયા થશે ‘આઝાદ’ ? 

Vivek Radadiya

વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ, ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ

Vivek Radadiya

આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી..

Abhayam