Abhayam News
AbhayamPolitics

કરણી સેનાનાં રાજ શેખાવતે સરકાર પાસે કરી માંગ

Raj Shekhawat of Karni Sena made a demand to the government

કરણી સેનાનાં રાજ શેખાવતે સરકાર પાસે કરી માંગ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આજે બપોરે એક વાગ્યે રાજપૂત કરણી સેનાનાં સંસ્થાપક અને રાષ્ટ્રય અધ્યક્ષ  સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી દેવામાં આવી છે.  વિશ્વાસઘાત કરવામાં આવ્યો  મળવાનાં બહાને લોકો આવ્યા અને વિશ્વાસઘાત કરી હત્યાને અંજામ આપી ભાગી ગયા.  

Raj Shekhawat of Karni Sena made a demand to the government

તમામ ક્ષત્રિયો આજે દુઃખની લાગણી વ્યક્ત કરે છે.  રોષ છે અને દુર્ભાગ્ય છે.  પોલીસ પ્રશાસન, ઈન્વેસ્ટીગેશન એજન્સીઓ, આઈબી, સીઆઈડી, રો તમામ સંસ્થા હોવા છતાં આવી ઘટનાઓને અંજા આપી દેવમાં આવે છે. પરંતું આપણી સંસ્થાને કંઈ ખબર હોતી નથી.

કરણી સેનાનાં રાજ શેખાવતે સરકાર પાસે કરી માંગ

અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ચેતવણી આપીએ છીએ તે તમામ લોકોની તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. તેમજ આ હત્યામાં જવાબદારોની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તમામ આરોપીઓને ફાંસીનાં માંચડે ચઢાવવામાં આવે.

Raj Shekhawat of Karni Sena made a demand to the government

અને જો ન્યાય ટૂંક સમયમાં નહી મળે તો કાનુન હાથમાં લેતા અમે નહી અચકાઈએ અમે મેદાને ઉતરીશું. અને આ તમામે તમામ જે ગુનાહિત ઈતિહાસ ધરાવનાર લોકો છે.  કેટલા સમયથી હત્યાઓ આ ભારત વર્ષમાં કરતા આવ્યા છે. જેનો જવાબ કરણી સેના અને ક્ષત્રિયો આપશે. જો આંદોલનની જરૂર પડશે તો તે પણ અમે કરીશું.  હવે આરપારની જ વાત કરીશું અને ન્યાય લઈને જ જંપીશું..

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે,’ પાછલી સરકારનાં સમયથી જે રીતે ગેંગવોર વધી અને રાજસ્થાનને અરાજકતાની અગ્નિમાં ધકેલવામાં આવ્યું, આ તેનું જ દુષ્પરિણામ છે. કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષને જે ધમકીઓ મળી હતી તેને લઈને તેમમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાી હતી પણ તેમને જે પ્રકારની સુરક્ષા મળવી જોઈએ તેવી મળી નહી.. જે લોકોએ આ કર્યું છે તેમની તરત જ ધરપકડ થવી જોઈએ..’

Raj Shekhawat of Karni Sena made a demand to the government

રાજસ્થાનનાં માનનીય રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રાજીએ આ સંબંધમાં અપરાધીઓની સામે કડક અને પ્રભાવી કાર્યવાહી કરવાનાં આદેશો આપ્યાં છે. ઘટના અંગે જાણકારી મળ્યાંની સાથે જ તેમણે DGP સાથે ફોન પર વાતચીત કરી હતી અને કાનૂની શાંતિ જળવાઈ રહે તે અંગે આદેશો આપ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

Abhayam

સ્વીસ બેન્કોમાં ભારતીયોની કોરોના મહામારી વચ્ચે 2020માં જમા રાશિમાં થયો આટલો વધારો..

Abhayam

રાજકોટ CP અગ્રવાલ સામે વધુ આરોપો:- જાણો કોણે આરોપો મૂક્યા,,?

Abhayam