Abhayam News
Abhayam

વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

મોહન ભાગવતનું મોટું નિવેદન, દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી મણિપુરમાં હિંસા કોના બળ પર ચાલી રહી છે?

  • વિજયાદશમી નિમિત્તે RSSના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી 
  • કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા: મોહન ભાગવત 
  • સમાજમાં વિખવાદ ફેલાવવાના થઈ રહ્યા છે પ્રયાસો: મોહન ભાગવત 
  • મોહન ભાગવતનું મોટું નિવેદન

શું કહ્યું મોહન ભાગવતે ? 

શું કહ્યું મોહન ભાગવતે ? 
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

મણિપુર હિંસાને લઈ શું કર્યો દાવો ? 
આ સાથે આરએસએસ ચીફે દાવો કર્યો હતો કે, મણિપુરમાં હિંસા કરાવવામાં આવી છે.  તેમણે કહ્યું- મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાય વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે કોમી આગ કેવી રીતે શરૂ થઈ? હિંસા કરનારાઓમાં શું સરહદ પારના કટ્ટરપંથીઓ પણ હતા? વર્ષોથી દરેકની સેવા કરતી સંઘ જેવી સંસ્થાને કોઈપણ કારણ વગર આમાં ખેંચવામાં આવી. મણિપુરમાં અશાંતિ અને અસ્થિરતાથી વિદેશી શક્તિઓને ફાયદો થઈ શકે છે. દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી આ હિંસા કોના બળ પર ચાલી રહી છે? 

લોકસભાની ચૂંટણીને લઈ પણ આપ્યું મોટું નિવેદન 

લોકસભાની ચૂંટણીને લઈ પણ આપ્યું મોટું નિવેદન 
મોહન ભાગવતે કહ્યું કે, 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

સમાજમાં વિખવાદ ફેલાવવાના થઈ રહ્યા છે પ્રયાસો: ભાગવત 
સામાજિક અરાજકતા પર ભાગવતે કહ્યું, કેટલાક અસામાજિક લોકો પોતાને સાંસ્કૃતિક માર્ક્સવાદી અથવા વોક કહે છે, પરંતુ તેઓ 1920ના દાયકાથી માર્ક્સને ભૂલી ગયા છે. તેઓ વિશ્વની તમામ સારી વસ્તુઓ અને સંસ્કૃતિનો વિરોધ કરે છે. તેઓ અરાજકતાનો પ્રચાર કરે છે. તે ચિંતાનો વિષય છે સૌથી સારી વાત એ છે કે, લડાઈ છોડીને સમાધાન તરફ આગળ વધો. આપણે બધા એક જ પૂર્વજોના વંશજ છીએ. આપણે એક માતૃભૂમિના સંતાન છીએ. આના આધારે આપણે ફરી એક થવું પડશે.

મોહન ભાગવતનું મોટું નિવેદન

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈ શું કહ્યું ? 
ભગવાન રામ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

ચંદ્રયાન મિશન-એશિયન ગેમ્સને લઈ શું કહ્યું ? 

ચંદ્રયાન મિશન-એશિયન ગેમ્સને લઈ શું કહ્યું ? 
મોહન ભાગવતે કહ્યું કે, આપણા દેશના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા. ખેલાડીઓએ કુલ મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ) જીતીને અમને ગૌરવ અપાવ્યું હતું. અમે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. ચંદ્રયાન મિશનએ પણ ભારતની તાકાત, બુદ્ધિમત્તા અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્રના નેતૃત્વની ઈચ્છા આપણા વૈજ્ઞાનિકોના પોતાના જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્યો સાથે એકીકૃત રીતે જોડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું બોલાવ્યું સંમેલન

Vivek Radadiya

સુરતના ચીકુવાડીથી મોટા વરાછાના નવા બ્રિજ પર ST બસ વળી જ ન શકી

Vivek Radadiya

એન્ટાર્કટિકામાં બરફનો પહાડ તૂટતા દુનિયાભરના વૈજ્ઞાનિકોની ચિતામાં થયો વધારો…

Abhayam