માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કરેલી કરેલી આક્રમક કાર્યવાહીને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું.
માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.
શું છે માલધારીઓની માગ ?
- વર્ષોથી ભોગવટાની જગ્યાએ પશુ રાખવાનું લાયસન્સ આપવામાં આવે
- ઘર આંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં ન આવે
- પશુઓ માટે ગૌચરની જગ્યા પાછી આપવામાં આવે
- ગૌચર પચાવી પાડનારા લોકોને જેલમાં પૂરવામાં આવે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે