Abhayam News
AbhayamNews

જાણો:-CM રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય લીધો છે. CM ની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાની સૂચના આપી છે. પ્રભારી જિલ્લા સિવાયના જિલ્લાની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.

CM rupani

રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ આજે મહત્વની કેબિનેટ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ રથયાત્રા માટે મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે પણ મહત્વની ચર્ચા થવાની હતી. તદુપરાંત રાજ્યમાં વેક્સિનના ઘટતા ડોઝ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવાનું આયોજન હતું…

CM rupani

તમામ મંત્રીઓ જિલ્લામાં જઈને લોકોની સમસ્યાની માહિતી મેળવશે, જિલ્લા વહીવટી સાથે બેઠક કરશે, જિલ્લા ભાજપ સંગઠન સાથે મંત્રીઓ બેઠક કરશે. આવતી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કરવો પડશે. લોકોમાં રહેલો રોષ દૂર કરવા માટે કેબિનેટમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

Vivek Radadiya

‘એનિમલ’ પરથી ‘આલ્ફા મેલ’ શબ્દ આવ્યો ચર્ચામાં

Vivek Radadiya

Dubai Tour: IRCTC સસ્તામાં કરાવી શકે છે દુબઇની ટૂર

Vivek Radadiya