શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે ? જાણો કાયદો અને ઈતિહાસ ઈચ્છામૃત્યુ બે પ્રકારના હોય છે. પ્રથમ – સક્રિય ઈચ્છામૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એ તબીબી સારવારને રોકવા અથવા પાછી ખેંચવાની ક્રિયા છે, જેમ કે વ્યક્તિને મૃત્યુની મંજૂરી આપવાના હેતુસર જીવન સહાયતા સાધનોને રોકવા અથવા પાછા ખેંચવા.
જ્યારે કોઈનો જીવ લેવા માટે ગુનેગારને સજા સંભળાવનાર ન્યાયાધીશ પોતાનો જીવ જાતે લેવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગે, ત્યારે સમજો કે પરિસ્થિતિ ગંભીર છે. આ જાણીને તમને પણ નવાઈ લાગીને કે શું જજ પોતાનો જીવ જાતે લેવાની માગ કરી શકે ? શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે ? જાણો કાયદો અને ઈતિહાસ
ઉત્તર પ્રદેશના એક સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી જ અરજી દાખલ કરી છે. બાંદા જિલ્લામાં તૈનાત મહિલા સિવિલ જજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે. મહિલા ન્યાયાધીશે આરોપ લગાવ્યો છે કે જિલ્લા ન્યાયાધીશે તેણીને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી હતી અને તેણીની ફરિયાદ બાદ પણ કોઈ સુનાવણી થઈ નથી. આથી તે હવે પોતાનો જીવ લેવા માંગે છે અને તેના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે . પ્રશ્ન એ છે કે શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે, ઈચ્છામૃત્યુ કોને મળી શકે અને દેશમાં તેના માટે શું કાયદો છે? જાણો અહીં તમામ વિગત.
શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે ? જાણો કાયદો અને ઈતિહાસ
ભારતમાં ઈચ્છા મૃત્યુ શક્ય છે ?
ક્યારેક ઈચ્છામૃત્યુને બદલે યુથનેસિયા શબ્દ પણ વપરાય છે. ઈચ્છામૃત્યુની મંજૂરી છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આપણે સમજવો પડશે. કોમન કોઝ વિ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં, માર્ચ 2018માં પાંચ જજોની બંધારણીય બેન્ચે પણ ગૌરવ સાથે મરવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ગણાવ્યો હતો.શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે ? જાણો કાયદો અને ઈતિહાસ
જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણે ઈચ્છામૃત્યુ લાગુ કરવા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો કે, આ ફક્ત અમુક એવા રોગોના દર્દીઓ માટે જ હતું, એટલે કે જે રોગોનો ઉપચાર થઈ શકતો નથી. 2023 માં, સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુના અધિકારને સરળ બનાવવા માટે અગાઉના માર્ગદર્શિકામાં કેટલાક ફેરફારો કર્યા હતા.
ઈચ્છામૃત્યુની મંજૂરી છે?
ઈચ્છામૃત્યુ બે પ્રકારના હોય છે. પ્રથમ – સક્રિય ઈચ્છામૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એ તબીબી સારવારને રોકવા અથવા પાછી ખેંચવાની ક્રિયા છે, જેમ કે વ્યક્તિને મૃત્યુની મંજૂરી આપવાના હેતુસર જીવન સહાયતા સાધનોને રોકવા અથવા પાછા ખેંચવા.
દેશમાં સક્રિય ઈચ્છામૃત્યુ પર હજુ પણ પ્રતિબંધ છે. સક્રિય ઈચ્છામૃત્યુનો અર્થ એ છે કે દર્દી અસાધ્ય રોગથી પીડિત છે અને તેને ઝેરના સીધા ઈન્જેક્શનથી મારી નાખવો.
જ્યારે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો અર્થ એ છે કે દર્દી ગંભીર અને અસાધ્ય રોગથી પીડિત છે અને તેના સાજા થવાની કોઈ આશા બાકી નથી. આવી સ્થિતિમાં, તે વ્યક્તિને આપવામાં આવતી તબીબી સહાય પાછી ખેંચી લેવામાં આવે, તેને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ કહેવામાં આવે છે. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી છે પરંતુ તે પણ ત્યારે જ જ્યારે તમે સભાનપણે લિવિંગ વિલ જેવા કાગળ પર તેની પરવાનગી આપી હોય. જો તે આવું ન હોય, તો તેમા વ્યક્તિમાં ચેતના પાછી આવવાની રાહ જોવામાં આવે છે.
કયા દેશોમાં ઈચ્છા મૃત્યુને મંજૂરી છે ?
નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમમાં ઈચ્છામૃત્યુની મંજૂરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છામૃત્યુની પણ મંજૂરી છે પરંતુ તે માત્ર ડૉક્ટરની હાજરીમાં જ થઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન તેને ગેરકાયદે માને છે. અમેરિકામાં, વિવિધ રાજ્યોમાં આને લગતા જુદા જુદા કાયદા છે. વોશિંગ્ટન, ઓરેગોન અને મોન્ટાના જેવા રાજ્યોમાં ઈચ્છામૃત્યુની મંજૂરી છે, જ્યારે અન્ય ઘણા રાજ્યોમાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે