Abhayam News
AbhayamSports

IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ?

  ઇન્ડિયન પ્રીમયર લીગની નવી સીઝનમાં સામેલ થવાને લઇને અમદાવાદની ટીમ)ના ભવિષ્ય પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીને ખરીદવાનાર સીવીસી કેપિટલ ના બેકગ્રાઉન્ડને લઇને જ્યારે વિવાદ ઘેરાયો ત્યારે બીસીસીઆઇ દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ પોતાની રીપોર્ટ બોર્ડને સુપરત કરી છે.

સુપ્રીમ કોર્ટના રીટાયર્ટ જજ જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી કમિટીએ રીપોર્ટ સોંપી દીધી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર બીસીસીઆઇએ કમિટીને આ મામલે તપાસ કરીને પોતાની સલાહ રજૂ કરવા જણાવ્યું હતું. હવે કમિટીએ રીપોર્ટ સોંપી દેતા અંતિમ નિર્ણય બીસીસીઆઇ જ કરશે.

અમદાવાદ ટીમને સીવીસી ગ્રુપે રૂ. 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વિવિધા એટલે વકર્યો હતો કે સીવીસી ગ્રુપનું અમુક બેટિંગ કંપનીઓમાં રોકાણ છે. આ મામલે બીસીસીઆઇએ તપાસ સમિતિ બેસાડી હતી. એવામાં ટીમ અને ડીલ બંને પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, રવિવારે એટલે 26 ડિસેમ્બરે, આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ ટીમના ભવિષ્ય, આઇપીએલ ઓક્શનની તારીખ સહિત અન્ય મામલાઓ પર ચર્ચા કરાઇ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે હવે કમિટીની રીપોર્ટ આવી ગયો છે, તો અમદાવાદ ફ્રેચાઇઝી સાથે જોડાયેલ વિવાદ જલદી જ ખતમ થઈ શકે છે અને ઓક્શનની ઓફિશ્યલ તારીખની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

આઇપીએલ 2022 માટે મેગા ઓક્શન ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. IPL 2022 મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થશે. હરાજી પહેલા, લખનૌ અને અમદાવાદની બે નવી ફ્રેન્ચાઈઝીઓને હરાજીની બહાર તેમની ટીમોમાં ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે.

આઇપીએલ 2022માં કુલ બે નવી ટીમો ભાગ લેવા જઇ રહી છે. જે પૈકી અમદાવાદ સિવાય લખનઉ પણ સામેલ છે. લખનઉ ટીમને 7090 કરોડ રૂપિયામાં સંજીવ ગોએંકાએ RPSG ગ્રુપે ખરીદી હતી. લખનઉની ટીમ અત્યાર સુધીમાં મુખ્ય કોચ તરીકે એન્ડી ફ્લાવર, મેન્ટોર તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મોરારીબાપુએ ઓરિસ્સા અને બંગાળમાં યાસ વાવાઝોડાના અસરગ્રસ્તોને કરી આટલી સહાય..

Abhayam

ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ….

Abhayam

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

Abhayam

Leave a Comment