Abhayam News
AbhayamNews

ભારતીય એરફોર્સના પાયલટ અભિનવ ચૌધરી થયા શહીદ:-એરક્રાફ્ટ પ્લેન મિગ-21 ક્રેશ

પંજાબના મોગા વિસ્તારમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અંદાજે ૧૧ વાગીને ૧૫ મિનીટ પર વાયુ સેનાનું ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ક્રેશ થયું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ મોગા વિસ્તારના લંગેઆના ગામ પાસે ક્રેશ થયું હતું. આ વાયુ સેનાના ફાઇટર એરક્રાફ્ટ મિગ -21ના પાયલટ અભિનવ ચૌધારીનું મૃત્યુ થયું હતું.

ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 રાત્રે ૧૧:૧૫ વાગ્યા આજુબાજુ લંગેઆના ગામ નજીક ૫૦૦ મીટર દુર ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરી મૃત્યુ પામ્યા હતા. ૪ કલાકની મહેનત કર્યા બાદ પાયલટ અભિનવ ચૌધરીના મૃતદેહ ખેતરોમાંથી મળી આવ્યો. પરંતુ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 પ્લેન ક્રેશ થવાને કારણે ગામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું.

તમને જણાવી દઈએ કે આ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 એ રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પરથી ઉડ્યું હતું. ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ઇનાયાતપુરામાં પ્રેક્ટીસ કરીને પરત ફરી રહ્યું હતું. જેમાં બેઠેલ પાયલટ ટ્રેનીંગ લઇ રહ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બર્થીડા એરફોર્સ સ્ટેશન અને હલવારા એરફોર્સ સ્ટેશનથી વાયુ સેનાની ટુકડી ઘટના સ્થળે પહોચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દર્દીઓ માટે ઈએસઆઈસીએ ભર્યું મોટું પગલું

Vivek Radadiya

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર

Vivek Radadiya

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam

1 comment

Comments are closed.