Abhayam News
AbhayamNews

ભારતીય એરફોર્સના પાયલટ અભિનવ ચૌધરી થયા શહીદ:-એરક્રાફ્ટ પ્લેન મિગ-21 ક્રેશ

પંજાબના મોગા વિસ્તારમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અંદાજે ૧૧ વાગીને ૧૫ મિનીટ પર વાયુ સેનાનું ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ક્રેશ થયું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ મોગા વિસ્તારના લંગેઆના ગામ પાસે ક્રેશ થયું હતું. આ વાયુ સેનાના ફાઇટર એરક્રાફ્ટ મિગ -21ના પાયલટ અભિનવ ચૌધારીનું મૃત્યુ થયું હતું.

ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 રાત્રે ૧૧:૧૫ વાગ્યા આજુબાજુ લંગેઆના ગામ નજીક ૫૦૦ મીટર દુર ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરી મૃત્યુ પામ્યા હતા. ૪ કલાકની મહેનત કર્યા બાદ પાયલટ અભિનવ ચૌધરીના મૃતદેહ ખેતરોમાંથી મળી આવ્યો. પરંતુ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 પ્લેન ક્રેશ થવાને કારણે ગામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું.

તમને જણાવી દઈએ કે આ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 એ રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પરથી ઉડ્યું હતું. ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ઇનાયાતપુરામાં પ્રેક્ટીસ કરીને પરત ફરી રહ્યું હતું. જેમાં બેઠેલ પાયલટ ટ્રેનીંગ લઇ રહ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બર્થીડા એરફોર્સ સ્ટેશન અને હલવારા એરફોર્સ સ્ટેશનથી વાયુ સેનાની ટુકડી ઘટના સ્થળે પહોચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્યમાં 11 સ્થળોએ નીકળશે શિક્ષકોની પદયાત્રા

Vivek Radadiya

T20 World Cup: ટીમ ઇન્ડિયાને  મોટું સંકટ, વર્લ્ડ કપમાંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા!

Archita Kakadiya

અમદાવાદ : લાંચ લેવામાં ગૃહ વિભાગ અગ્રેસર, જાણો કયા કયા વિભાગમાં કેટલી ટ્રેપ થઈ….

Abhayam

1 comment

Comments are closed.