Abhayam News
Abhayam

370 કલમ કેવી રીતે લાગુ કરવામાં આવી?

How was Article 370 enforced?

370 કલમ કેવી રીતે લાગુ કરવામાં આવી? કલમ 370 હટાવવા પહેલા જ્યારે પણ તેની વાત થતી હતી, ત્યારે કાશ્મીરના ઘણા નેતાઓ અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરતા હતા. અનુચ્છેદ 370નો પોતાનો ઇતિહાસ રહેલો છે. જે દરમિયાન કેટલાક સંજોગો એવા હતા જ્યારે રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. અમે તમને આ કલમ અને તેનો ઇતિહાસ શું છે તે જણાવીશું.

How was Article 370 enforced?

ચાર વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2019માં ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાની જાહેરાત કરી હતી. સંસદમાં ભારે હોબાળા વચ્ચે તેને રજૂ કરવામાં આવ્યુ હતુ. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો, પણ શું તમે જાણો છો કે કલમ 370 શું છે ?

ચાર વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકારો આપતી કલમ 370ને હટાવી દેવામાં આવી હતી. જેને નરેન્દ્ર મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય માનવામાં આવે છે. કેન્દ્રના કલમ 370ને હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. 5 ઓગસ્ટ 2019ના રોજ સુપ્રીમમાં નિર્ણય પર રોક લગાવતી અરજી કરવામાં આવી હતી. પોતાના ફાયદા માટે નિર્ણય લીધો હોવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લાગ્યો હતો.

કલમ 370 હટાવવા પહેલા જ્યારે પણ તેની વાત થતી હતી, ત્યારે કાશ્મીરના ઘણા નેતાઓ અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરતા હતા. અનુચ્છેદ 370નો પોતાનો ઇતિહાસ રહેલો છે. જે દરમિયાન કેટલાક સંજોગો એવા હતા જ્યારે રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. અમે તમને આ કલમ અને તેનો ઇતિહાસ શું છે તે જણાવીશું.

How was Article 370 enforced?

કલમ 370 શું છે ?

17 ઓક્ટોબર 1949ના રોજ કલમ 370નો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.આ કલમ મુજબ જમ્મુ અને કાશ્મીરને ભારતના બંધારણથી અલગ રાખવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરની સરકારને પોતાનું બંધારણ તૈયાર કરવાનો અધિકાર હતો. ઉપરાંત સંસદે જમ્મુ-કાશ્મીરમાં કોઈ કાયદો લાવવો હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી. જમ્મુ-કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ પણ અલગ હતો અને અહીંના લોકો માટે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ફરજિયાત પણ નહોતું.

370 કલમ કેવી રીતે લાગુ કરવામાં આવી?

ઓક્ટોબર 1947માં કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓ ભારતમાં રજવાડાના વિલીનીકરણ માટે સહમત થયા હતા. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનમાં લખવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિદેશ, સંરક્ષણ અને સંદેશાવ્યવહારના મામલામાં તેની સત્તા ભારત સરકારને ટ્રાન્સફર કરશે. જે પછી વર્ષ 1949 માં જમ્મુ અને કાશ્મીર સરકારે આ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો અને 27 મે 1949 ના રોજ કાશ્મીરની બંધારણ સભાએ તેને કેટલાક ફેરફારો સાથે સ્વીકારી લીધો. બાદમાં 17 ઓક્ટોબર 1949 ના રોજ તે ભારતીય બંધારણનો ભાગ બન્યો.

370ની કલમ હટાવ્યા પછી શું થયું?

5 ઓગસ્ટ 2019 ના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. તેની સાથે જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

Abhayam

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

Abhayam

માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી

Vivek Radadiya