Abhayam News
AbhayamTechnology

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી

Good news for Paytm users

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે, પેટીએમ યૂપીઆઈની પહેલી વેવમાં બાકી કંપનીઓના મુકાબલે ચૂક ગઈ હતા. તેના કારણે ગૂગલ પે અને ફોન પે જેવી પ્રતિસ્પર્ધિ કંપનીઓ માર્કેટ લીડર બની ગઈ. હવે ONDCના મામલે પેટીએમ ફરીથી આ ભૂલ કરવા માંગતુ નથી અને તેનો મહત્તમ લાભ ઉઠાવવા માંગે છે.

Good news for Paytm users

દિગ્ગજ ફિનટેક કંપની પેટીએમએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સને લઈને એક નવો દાવ રમ્યો છે. પેટીએમ એપના હોમ પેજ પર QR કોડ સ્કેનરની બાજુંમાં ONDCનો વિક્લપ લોન્ચ કરવામાં આવ્યો છે. જેના પર ક્લિક કરીને યૂઝર્સ શોપિંગ કરી શકે છે. હાલ આ ફીચર ટ્રાયલ તરીકે છે. Paytmનું આ પગલું જણાવે છે કે, કંપની એકવાર ફરીથી ઈ-કોમર્સ સેક્ટરમાં પકડ મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. પેટીએમ સૌથી પહેલા ONDCના બાયર સાઈડમાં જોડાયેલું હતું. પેટીએમએ એક નવી ફીચર હેઠળ તેના હોમપેજ પર ક્યૂઆર કોડની બાજુમાં ONDCનો વિકલ્પ આપ્યો છે.

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી

Good news for Paytm users

યૂઝર્સ હોમપેજને ઉપરથી નીચે સ્ક્રોલ કરી કરે, આ વિક્લપ નીચેની તરફ જોવા મળશે. ONDC પર ક્લિક કર્યા બાદ ફરીથી નવું પેજ ખુલશે, જેમાં સૌથી ઉપર ‘પેટીએમ લવ ONDC’ બનેલું હોય છે.

એવા સમયમાં પેટીએમે આ પગલું ભર્યું છે, જ્યારે, ઓલા, ફોનપે, મીશો અને શિપ્રોકેટ જેવી ઘણી ટેક યૂનિકોર્ને સરકારના સમર્થનવાળા ONDC પર દાવ લગાવ્યો છે. ONDCનો ઉદ્દેશ ભારતના ઓનલાઈન રિટેલ માર્કેટ પર એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓની પકડને તોડવાનું છે.

Good news for Paytm users

ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે, પેટીએમ યૂપીઆઈની પહેલી વેવમાં બાકી કંપનીઓના મુકાબલે ચૂક ગઈ હતા. તેના કારણે ગૂગલ પે અને ફોન પે જેવી પ્રતિસ્પર્ધિ કંપનીઓ માર્કેટ લીડર બની ગઈ. હવે ONDCના મામલે પેટીએમ ફરીથી આ ભૂલ કરવા માંગતુ નથી અને તેનો મહત્તમ લાભ ઉઠાવવા માંગે છે. આ મામલે જાણકારી રાખનારા સૂત્ર તરફથી જાણકારી મળી કે, વિજય શેખર શર્મા પોતે આ વાતમાં રસ દાખવી રહ્યા છે કે, ONDC કઈ રીતે ગ્રોથ કરી રહ્યું છે.

પેટીએમ મોલ આ પહેલા પણ ઘણીવાર ઈ-કોમર્સમાં પોતાનો હાથ અજમાવી ચૂક્યું છે. તેણે 2018ની શરૂઆતમાં અલીબાબા અને સોફ્ટબેંક જેવા રોકાણકારો પાસેથી 2 અબજ ડોલરથી વધારેના મૂલ્યાંકન પર 40 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા. જો કે, આ દાવ ખોટમાં ગયો કારણ કે, અલીબાબાએ 2022માં કંપનીમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારી 100 કરોડ રૂપિયાથી વધારેના વેલ્યૂએશન પર વેચી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya

સાણંદમાં ટાટા અને માઈક્રોન કરશે મૂડીરોકાણ

Vivek Radadiya

ACB:- કોમ્પ્યુટર ઓપરેટર 10 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો…

Abhayam