Abhayam News
Abhayam

2123 પછી લોકો ખાવા માટે તડપશે!

honey

2123 પછી લોકો ખાવા માટે તડપશે! શું તમે પણ ખાવા-પીવાના શોખીન છો? જો હા, તો આ સમાચાર તમારા માટે ખરાબ સપના સમાન બની શકે છે. એક ફૂડ ફ્યુચરોલોજિસ્ટે આગાહી કરી છે કે, વર્ષ 2123 પછી એટલે કે, આજથી 100 વર્ષ પછી કુલ 10 એવી ખાદ્ય ચીજો હશે જે તમે અને હું ખાઈ શકતા નથી. તેમાં કેટલીક વાનગીઓ પણ સામેલ છે જે ઘણા લોકોની ફેવરિટ છે. આ આગાહી ઘણા સંશોધનોને આધારે કરવામાં આવી છે. હકીકતમાં આજથી સો વર્ષ પછી એવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે છોડ આધારિત બનશે.

plant based food

2123 પછી લોકો ખાવા માટે તડપશે!

આ ભવિષ્યવાણી જાણીને ઘણા લોકોના દિલ તૂટી જશે. ખાસ કરીને એવા લોકો કે જેઓ મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. આનું એક ખાસ કારણ છે. હકીકતમાં આગાહીમાં સમાવિષ્ટ ખાદ્ય પદાર્થોમાં ચોકલેટનો પણ સમાવેશ થાય છે. ચોકલેટ કોકોના ઝાડમાંથી બનાવવામાં આવે છે, જે ઉગાડવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેને કોકોના ઝાડમાંથી નહીં પરંતુ જીનેટિકલી મોડિફાઈ કરીને બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગાહીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છોડ આધારિત વસ્તુઓની માગ રહેશે

રોબિનના જણાવ્યા મુજબ, 100 વર્ષ પછી મોટાભાગના લોકો છોડ આધારિત ખોરાક લેવાનું શરૂ કરશે. આ પ્રાણીઓની સુરક્ષા માટે અને બદલાતા વાતાવરણને કારણે થશે. જો આપણે ફળોની વાત કરીએ તો એવોકાડોની અછત હશે. આ ખૂબ મોંઘા થઈ જશે અને લોકો તેને ખરીદી શકશે નહીં. આ સિવાય ટોફુનું ઉત્પાદન પણ બંધ થઈ જશે. આ વસ્તુઓમાં મધ અને ચણાનો પણ સમાવેશ થાય છે. હવે એક એવી વસ્તુ જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તે દૂધ છે. દૂધ પણ 100 વર્ષ પછી ખતમ થઈ જશે. જો કે, રોબિનના મતે આ બધાના વિકલ્પો મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ISROએ મહિલાઓ માટે આપી મોટી ખુશખબર ગગનયાનનું સફળ પરીક્ષણ

Vivek Radadiya

Indian Constitution Day: 26 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બંધારણ દિવસ

Vivek Radadiya

1992માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કર્ણાટકના હુબલીમાં દેખાવો

Vivek Radadiya