Abhayam News
AbhayamNews

ગુજરાતના આ ખેડૂતે કરી ચંદનની ખેતી, જુઓ – ચંદનની ખેતીની તમામ વિગત…

સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે, સાથે વૃક્ષના હિસાબે 120 રૂપિયા વૃક્ષ સામે 30 રૂપિયાની સબસીડી પણ આપે છે…

ગુજરાતના ખેડૂતો દિવસેને દિવસે પ્રગતિ શીલ બનતા જાય છે, અને ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક મેળવવા માટે પ્રયત્ન શીલ છે, ધોરાજી ના આવાજ એક ખેડૂતે ગુજરાતમાં અશકય એવી ચંદનની ખેતી કરીને પોતાની ભવિષ્યની આવક નોંધાવી લીધી છે, અને માત્ર થોડા રોકાણે લખોનો નફો કરશે.

 મુનાફ બકાલી, જેતપુર : ગુજરાતના ખેડૂતો (Gujarat Farmers) દિવસેને દિવસે પ્રગતિ શીલ બનતા જાય છે, અને ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક મેળવવા માટે પ્રયત્ન શીલ છે, ધોરાજી (Dhoraji)ના આવાજ એક ખેડૂતે ગુજરાતમાં અશકય એવી ચંદનની ખેતી  (sandalwood farming)કરીને પોતાની ભવિષ્યની આવક નોંધાવી લીધી છે, અને માત્ર થોડા રોકાણે લખોનો નફો કરશે.

ચંદનના વૃક્ષોના વાવેતરમાં ફાયદા કહેતા ભગવાનજીભાઈ જણાવે છે કે, ચંદનના વૃક્ષોને એક વખત વાવ્યા બાદ તેને માત્ર 2 વર્ષ સુધી થોડી સંભાળ રાખવાની હોય છે અને ત્યારબાદ તેને કોઈ સાર સંભાળની જરૂર નથી, એક વખત તે વૃક્ષ બની ગયા પછી તેને જ્યાં સુધી કાપવામાં ના આવે ત્યાં સુધી કોઈ સંભાળની જરૂર નથી, માત્ર આસપાસ થતા નિંદામણ સિવાય કોઈ કામ કરવું પડતું નથી. જયારે આવકની વાત કરીએ તો ભવાનજીભાઈએ તો તેનું ભવિષ્ય ખુબજ સુરક્ષિત કરી લીધું છે, કારણ કે એક ચંદનનો છોડ માત્ર 120 રૂપિયાનો આવે અને તેને વાવ્યા બાદ 15 વર્ષ સુધી કોઈ માવજત નથી અને 15 વર્ષ બાદ એક વૃક્ષ ઓછોમાં ઓછા 2 લાખ રૂપિયાની કિંમતનું થઇ જાય છે, ત્યારે જોવા જઈ તો ભવાનજીભાઈ ખુબજ ઓછી મહેનત અને રોકાણ સાથે ભવિષ્યમાં લાખો રૂપિયા કમાઈ લેશે.

 ચંદનના વૃક્ષોના વાવેતરમાં ફાયદા કહેતા ભગવાનજીભાઈ જણાવે છે કે, ચંદનના વૃક્ષોને એક વખત વાવ્યા બાદ તેને માત્ર 2 વર્ષ સુધી થોડી સંભાળ રાખવાની હોય છે અને ત્યારબાદ તેને કોઈ સાર સંભાળની જરૂર નથી, એક વખત તે વૃક્ષ બની ગયા પછી તેને જ્યાં સુધી કાપવામાં ના આવે ત્યાં સુધી કોઈ સંભાળની જરૂર નથી, માત્ર આસપાસ થતા નિંદામણ સિવાય કોઈ કામ કરવું પડતું નથી. જયારે આવકની વાત કરીએ તો ભવાનજીભાઈએ તો તેનું ભવિષ્ય ખુબજ સુરક્ષિત કરી લીધું છે, કારણ કે એક ચંદનનો છોડ માત્ર 120 રૂપિયાનો આવે અને તેને વાવ્યા બાદ 15 વર્ષ સુધી કોઈ માવજત નથી અને 15 વર્ષ બાદ એક વૃક્ષ ઓછોમાં ઓછા 2 લાખ રૂપિયાની કિંમતનું થઇ જાય છે, ત્યારે જોવા જઈ તો ભવાનજીભાઈ ખુબજ ઓછી મહેનત અને રોકાણ સાથે ભવિષ્યમાં લાખો રૂપિયા કમાઈ લેશે.

આ છે ધોરાજીના ભગવાનજીભાઈ ચવાડીયા, 55 વર્ષના આ ખેડૂત પોતાની ખેતીમાં કંઈક અલગ-અલગ કરવા માટે પ્રયત્નશીલ હોય છે, થોડા સમય પહેલા ભગવાનજી ભાઈએ યુ ટ્યુબ ઉપર ચંદનની ખેતી વિષે જાણ્યું અને તેમણે પોતાના ખેતરમાં ચંદનનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને આ માટે તેમણે શરૂઆત કરી તેને તેના ખેતરના એક એકરમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું, આજ થી ચાર વર્ષ પહેલા તેમણે માત્ર 120 રૂપિયાના ભાવે ચંદનનો એક છોડ લીધો અને અંદાજિત 600 જેટલા છોડ તેમણે તેમના ખેતરમાં વાવ્યા અને આજે આજે 4 વર્ષ બાદ તે ખુબજ સારી રીતે ઉછરીને મોટા બની ગયા છે.

 આ સાથે ભવાનજીભાઈ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે જણાવે છે, સાથે સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે, સાથે વૃક્ષના હિસાબે 120 રૂપિયા વૃક્ષ સામે 30 રૂપિયાની સબસીડી પણ આપે છે. ભવાનજીભાઈ કેરેલ ચંદનના વાવેતરને જોવા માટે અનેક ખેડૂતો આવે છે અને ચંદનની ખેતી જોઈને આશ્ચર્ય પણ કરે છે, સાથે અહીં આવતા ખેડૂતો પણ ચંદનની ખેતી કરવા પ્રેરાય છે અને આ બાબતની તમામ માહિતી ભવાનજીભાઈ તેમને હોસે-હોસે આપે છે, અને સરકારની ચંદનના વાવેતરની નીતિ અને સબસીડીથી પ્રભાવિત થઇ રહ્યા છે અને આવતા ભવિષ્યમાં અહીં ચંદનનું વાવેતર વધે તેવી શક્યતા છે.

ટેક્નોલોજી અને માહિતીનો ધોધ વહાવતા સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો પણ હવે નવી નવી માહિતી મેળવી પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળતા ખેડૂતોને હવે તેમનો વિકાસ કરવા માટે માત્ર લગન અને મહેનતની જરૂર છે, ત્યારે અન્ય ખેડૂતો પણ ભવાનજીભાઈ જેવા ખેડૂત પાસેથી પ્રેરણા લે તે જરૂરી છે.

 ટેક્નોલોજી અને માહિતીનો ધોધ વહાવતા સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો પણ હવે નવી નવી માહિતી મેળવી પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળતા ખેડૂતોને હવે તેમનો વિકાસ કરવા માટે માત્ર લગન અને મહેનતની જરૂર છે, ત્યારે અન્ય ખેડૂતો પણ ભવાનજીભાઈ જેવા ખેડૂત પાસેથી પ્રેરણા લે તે જરૂરી છે.

આ સાથે ભવાનજીભાઈ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે જણાવે છે, સાથે સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે, સાથે વૃક્ષના હિસાબે 120 રૂપિયા વૃક્ષ સામે 30 રૂપિયાની સબસીડી પણ આપે છે. ભવાનજીભાઈ કેરેલ ચંદનના વાવેતરને જોવા માટે અનેક ખેડૂતો આવે છે અને ચંદનની ખેતી જોઈને આશ્ચર્ય પણ કરે છે, સાથે અહીં આવતા ખેડૂતો પણ ચંદનની ખેતી કરવા પ્રેરાય છે અને આ બાબતની તમામ માહિતી ભવાનજીભાઈ તેમને હોસે-હોસે આપે છે, અને સરકારની ચંદનના વાવેતરની નીતિ અને સબસીડીથી પ્રભાવિત થઇ રહ્યા છે અને આવતા ભવિષ્યમાં અહીં ચંદનનું વાવેતર વધે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથ.

Related posts

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

Abhayam

સુરત:-સુમન સ્કુલમાં ચાલુ વર્ષથી ધોરણ-11ના વર્ગ, આવતા વર્ષે ધોરણ-12 શરુ થશે..

Abhayam

107 બ્લડ યુનિટ એકત્રિત કરી પોતાના જન્મદિવસની યુવાને કરી અનોખી ઉજવણી..

Abhayam

1 comment

Comments are closed.