Abhayam News
Abhayam

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ

food posion

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વહેંચાતા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. આ ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવા ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સુચના આપી છે. ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ નહિ ચલાવી લેવામા આવે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહીં પણ નિયમિત ડ્રાઇવ કરવાની મુખ્યમંત્રી પટેલે સૂચના આપી છે.

ખાદ્યસામગ્રીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતો વેપારી કાયદાથી છૂટી ના શકે તેવી કડક કાર્યવાહી કરવના આદેશ આપવામા આવ્યા છે. ટૂંક સમયમાં ફુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ સામે તવાઈ માટે કેબિનેટ બેઠકમાં ઔષધ અને નિયમન તંત્રના અધિકારીઓને સીધી સૂચના આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી ઘી, નકલી માવો, નકલી દૂધ ઉપરાંત શેમ્પૂ, સાબુ, મુખવાસ સહિતની ભેળસેળવાળી વસ્તુઓ પકડી પાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

આ અભિયાનમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યમંત્રીએ રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા આજે કેબિનેટની બેઠકમાં આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોરોનાનું વધ્યું સંક્રમણ,વધુ 10 કેસ નોંધાતા, એક્ટિવ કેસની સંખ્યામાં વધારો

Vivek Radadiya

વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ આ વસ્તુની ખેતી કરવા માંડો

Vivek Radadiya

ભારતમાં યુએસ એમ્બેસીએ તોડ્યો રેકોર્ડ

Vivek Radadiya