સાઉથના સ્ટારનું નિધન સુપરસ્ટાર રજનીકાંત અને દિવંગત વિજયકાંતને શ્રદ્ધાજલી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. વિજયકાંતના પાર્થિવ શરીરને આઈલેન્ડ ગ્રાઉન્ડમાં દફનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હું કન્યાકુમારીમાં ફિલ્મ કરી રહ્યો હતો. મારે આવતીકાલે આવવું હતુ. આ મુશ્કેલ છે. વિજયકાંતના વિશે કહેવા માટે ઘણુ બધુ છે. તે દોસ્તીની મિસાલ છે. જેમનાથી એકવાર કોઈ દોસ્તી કરી લે છે તે ક્યારે ભૂલી શકે તેમ નથી. તેઓ અવાર નવાર દોસ્તો, રાજનેતા અને મીડિયાથી નારાજ રહે છે પરંતુ તેમનાથી કોઈ નારાજ રહેતુ નથી.
સાઉથના સ્ટારનું નિધન
વિજયકાંતનના ગુસ્સાને લઈ શું કહ્યું ?
તેમણે વધુમાં કહ્યું કે, વિજયકાંતના ગુસ્સા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. એકવાર કોઈ પણ વિજયકાંત નજીક આવે છે તે તેમને ચાહવા લાગે છે. તેઓ વિરતાના પ્રતિકછે તેમના માટે કેપ્ટન તેમનું ઉપનામ છે. રજનીકાંતએ કહ્યું કે, એકવાર જ્યારે રામચંદ્ર હોસ્પિટલમાં હું અસ્વસ્થ અને બેહોશ હતા ત્યારે અનેક લોકોએ મને પરેશાન કર્યો હતો. વિજયકાંત આવ્યા અને પાંચ મિનિટમાં બધાને બહાર મોકલી દીધા હતા અને તેમણે મારી બાજુમાં એક રૂમ લીધો અને કહ્યું કે, હું તારી બાજુમાં જ છું કોઈને અંદર નહી આવવા દઉં અને તને હેરાન કરવા નહી દઉં.
‘વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે’
રંજનીકાંતએ કહ્યું કે, મારા દોસ્ત વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે. તેઓ અવિશ્વસનીય માનસિક શક્તિવાળા માણસ હતા. અમને ઉમ્મીદ હતી કે, તેઓ ઠીક થઈ જશે. પરંતુ તેમને હમણા જ ડીએમકે જનરલ કાઉન્સિલની બેઠકમાં જોયા તો ઉમ્મીદ ઓછી થઈ ગઈ હતી. તેઓ સ્વસ્થ થઈ જતા તો તમિલ રાજનીતિમાં એક મોટી અને મોટી તાકાત બની શકે તેમ હતું. તમિલ લોકોએ તેમને ગુમાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે