Abhayam News
AbhayamNews

રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા.

રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે તેઓ આ અગાઉ પણ આ કેસની સુનાવણી માટે સુરત આવ્યા હતા. આ અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા.

આગામી સમય માં ગુજરાત ની ચુતાની માં પક્ષ પલટો થાય શકે તેવા એંધાણ આવી રહ્યા છે વિવિધ પર્ત્ય ના અગ્રણી નેતાઓ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે તેવામાં કોંગેસ ના નેતા એવા રાહુલ ગાંધી પણ આવતી કાલે સુરત આવે તેવી સંભાવના વર્તાય છે .સુરત કોર્ટ માં હાજરી આપી પર્ત્ય જોડે મીટીંગ કરશે અને આગળ ની રણનીતિ ઘડાશે.


રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ ને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા. જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.હાલ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો અને મધ્યમ વર્ગ ના લોકોના પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચાઓ ચાલી રહી છે.

વિઝન 2022 માટેની રણનીતિ લઈ આગળ ચાલીશું, ગુજરાતની જનતા ખૂબ સમજુ છે. જનરલ ચૂંટણીઓ માટે લોકોએ મતનો સદઉપયોગ કર્યો છે. ત્રીજા પક્ષને ક્યારેય સફળતા નહીં મળે, ભાજપના 25 વર્ષના શાસનને પ્રજા ઓળખી ગઈ છે. સંગઠનમાં નિમણૂકોની પ્રક્રિયા ચાલી રહી છે. 3 વર્ષથી વધારે કાર્યરત છે ત્યાં નવા લોકોને તક અપાશે, સંગઠનમાં સારું કાર્ય કર્યું છે તેને જવાબદારીપૂર્વકનું કામ સોંપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ દેશના નાગરિકો હવે દેશ નહી છોડી શકે

Vivek Radadiya

બ્રાન્ડ Frooti ને બનાવી દીધી યુવાઓની ફેવરેટ

Vivek Radadiya

IASના ટ્રાન્સફર:રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ…

Kuldip Sheldaiya

2 comments

Comments are closed.