લોકસભાની VVIP બેઠકોનો ઓપિનિયન પોલ લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. આ વચ્ચે મતદાતાઓનો પ્રતિભાવ જાણવું ખૂબ જરૂરી છે. તેવામાં ABP ન્યૂઝ C Voter એ ઓપિનિયન પોલની મદદથી લોકોનાં મૂડનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો છે. સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભાજપનાં નેતૃત્વવાળું NDA ગઠબંધન ફરી સત્તામાં પાછું આવશે. જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ મજબૂતીથી આગળ વધતું દેખાઈ રહ્યું છે.લોકસભાની VVIP બેઠકોનો ઓપિનિયન પોલ
VVIP સીટની સ્થિતિ
આ સર્વેમાં વારાણસી, અમેઠી, લખનઉ, ગૌતમબુદ્ધ નગર અને આજમગઢની સીટો સામેલ છે. સર્વે અનુસાર PM મોદી વારાણસીની સીટ પર ફરી મોટા અંતરથી જીતશે. જ્યારે લખનઉની સીટથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહનું નામ આગળ આવી શકે છે. ગોરખપુરથી ભાજપનાં સાંસદ અને એક્ટર રવિ કિશન ઠીકઠાક અંતરથી આગળ રહેશે.
સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધીનું શું?
અમેઠીથી સ્મૃતિ ઈરાની ઘણી આગળ છે. આ સીટ ગાંધી પરિવારનું ગઢ રહી ચૂકી છે. ગત લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાને રાહુલ ગાંધીને માત આપી હતી. પોલમાં અનુમાન લગાડવામાં આવ્યો છે કે મેનપુરી સીટથી ડિંપલ યાદવ આગળ રહી શકે છે. ઈલાહાબાદ સીટથી રીતા બહુગુણા જોશી આગળ રહેશે. સર્વે અનુસાર કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે અને ઠીકઠાક અંતરથી આગળ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે