Abhayam News
Abhayam

ધનતેરસનાં દિવસે અપવાનો ‘જૂના-નવા ઝાડૂનો ટોટકો’

ધનતેરસનાં દિવસે અપવાનો ‘જૂના-નવા ઝાડૂનો ટોટકો’ દિવાળી ખુશીઓનો તહેવાર છે. ખુશીનો આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. આજથી એટલે કે ધનતેરસથી આ 5 દિવસિય મહાપર્વની શરૂઆત થઈ રહી છે. છે. આ પર્વ પર ખરીદીનું પણ વિશિષ્ટ મહત્વ હોય છે. સોનાં, ચાંદી સિવાય નવા વાહન ખરીદવું પણ શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પણ ધનતેરસનાં દિવસે  જૂના અને નવા ઝાડૂનો ટોટકો અપવાવવાથી તમારું ભાગ્ય ચમકી ઊઠશે અને માં લક્ષ્મી ભરી-ભરીને આશીર્વાદ આપશે. 

ધનતેરસનાં દિવસે અપવાનો ‘જૂના-નવા ઝાડૂનો ટોટકો’

જૂના-નવા ઝાડૂનો ટોટકો
વિદ્વાનો અનુસાર ઝાડૂને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ધનતેરસનાં દિવસે ઘરમાં એક નવો ઝાડૂ જરૂરથી લઈ આવવો જોઈએ. પણ ઘરનાં જૂના ઝાડૂને ભૂલથી પણ એ દિવસે બહાર ન કાઢવો જોઈએ.  તેને બહાર કાઢવાનો યોગ્ય સમય અમાસની કાળીરાત બાદ ભોરનો સમય છે.

કેવી રીતે દૂર કરવી દરિદ્રતા?
દીવાળીની સવારે મહિલાઓ ઘરની દરિદ્રતાને ઘરની બહાર નિકાળે છે.  આ માટે દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મીને વાંસની નાની ડાળી અને બિનઉપયોગી સૂપ ફૂંકીને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે. આ સમયે ઘરનાં જૂના કે તૂટેલા ઝાડૂને પણ બહાર ફેંકી દેવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

ક્યાં રાખવો જૂનો ઝાડૂ?
ધનતેરસથી દિવાળીની વચ્ચે ઘરનાં જૂના કે તૂટેલા ઝાડૂને એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં કોઈની નજર ન પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે


 

Related posts

અમેરિકામાં હિંદુઓ માટે લેવાયો આ મોટો નિર્ણય

Vivek Radadiya

ભાજપના ધારાસભ્ય પંચમહાલના રિસોર્ટમાં દારૂ અને જુગારની મહેફિલમાં પકડાયા…

Abhayam

14 જાન્યુઆરીથી શરુ થશે આ ઈ-કોમર્સ વેબસાઈટ પર વર્ષનો પ્રથમ સેલ

Vivek Radadiya