Abhayam News
AbhayamGujarat

કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી 

Narmada water will be supplied to Karmavad lake

કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી  બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી છોડવાથી 125 ગામડાઓને ફાયદો થશે. મહેસાણા મોટીદાઉથી કર્માવદ તળાવ સુધી 62 કિમી લાઇન મંજૂર કરાઈ છે.

Narmada water will be supplied to Karmavad lake

અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું
અત્રે જણાવીએ કે, ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરુ કરાશે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. 25 વર્ષથી કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા. 

કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી 

Narmada water will be supplied to Karmavad lake

125 જેટલા ગામોને લાભ મળશે
જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાથી ખેડૂતોને મોટો પ્રમાણમાં લાભ થશે. જળ આંદોલન સર્જાયું હતું જેના પગલે સરકારે હિતકારી નિર્ણય લીધો હતો. વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો આનો લાભ થશે. અત્રે જણાવીએ કે, 25 વર્ષથી પડતર માગને સ્વીકારાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam

શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

Vivek Radadiya

TRB જવાનની ફરજ શું?

Vivek Radadiya