સાંસદ મનસુખ વસાવાએ સંકલ્પ યાત્રામાં આદમી પાર્ટી પર કર્યા પ્રહાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, ડેડીયાપાડાના ગંગાપુર ખાતે સંકલ્પ યાત્રામાં જાહેર કાર્યક્રમમાં મનસુખ વસાવાએ AAP પર આક્ષેપ કર્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ તેમણે કહ્યું કે, આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. જો સાચા હોય તો હાજર થાવ. આ સાથે કહ્યું કે, આપ દ્વારા દીકરીઓનો સહારો લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, સાંસદ મનસુખ વસાવા ડરી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે, હું હિન્દુસ્તાનમાં કોઈનાથી ડરતો નથી.
સંકલ્પ યાત્રામાં સાંસદે કર્યા આપ પર પ્રહાર
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આપ પાર્ટી એ જૂઠા લોકોની પાર્ટી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, મર્દ હોય તો સામી છાતીએ આવો ને દીકરીઓ ને શું કામ સોશિયલ મીડિયામાં મૂકો છો. એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે, સાંસદ ડરી ગયા, મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા. જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે, સાંસદ મનસુખ વસાવા આખા હિન્દુસ્તાનમાં કોઈ થી ડરતો નથી અને ડરશે નહિ.
વસાવા અટક કાઢી મોદી અટક ને લઈ શું કહ્યું ?
મનસુખ વસાવાએ કહ્યું કે, પોસ્ટમાં કહ્યું કે, મનસુખ વસાવાએ વસાવા અટક કાઢી મોદી અટક લખવી જોઈએ. જેને લઈ મનસુખ વસાવાએ કહ્યું કે, હું મૂળ આદિવાસી છુ કેમ અટક બદલું ભાઈ ? આ સાથે તેમણે કહ્યું કે, ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકાવી મહિલાઓનો ઉપયોગ કરે છે. તાકાત હોયતો આવો મેદાનમાં ચૂંટણી જંગમાં બતાવી દવ. ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ કહ્યું કે, જો સાચા છે તો છુપાઈને કેમ ફરો છો ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે