Abhayam News
AbhayamGujarat

સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસી પહેરશે

Lord Ram's cap made in Surat will be worn by residents of Ayodhya

સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસી પહેરશે Latest Surat News: સુરતની એક ફેક્ટરીમાં લાખોની સંખ્યામાં ભગવાન રામની ટોપી બની રહી છે. 15મી જાન્યુઆરી સુધીમાં ટોપી બનાવી અનેક રાજ્યોમાં મોકલી દેવામાં આવશે.

Lord Ram's cap made in Surat will be worn by residents of Ayodhya

Surat News: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દરેક દેશવાસીઓ 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટેક્સટાઈલ સિટી સુરતમાં ભગવના રામની ટોપી પણ બનાવવામાં આવી છે. સુરતમાં બનેલી અયોધ્યા અને ભગવાન શ્રી રામની ટોપી અયોધ્યા વાસીઓ 22મી જાન્યુઆરીએ પહેરશે.

15 જાન્યુઆરી સુધીમાં ટોપીના પાર્સલ રવાના કરી દેવાશે

સુરતની એક ફેક્ટરીમાં લાખોની સંખ્યામાં ભગવાન રામની ટોપી બની રહી છે. 15મી જાન્યુઆરી સુધીમાં ટોપી બનાવી અનેક રાજ્યોમાં મોકલી દેવામાં આવશે. અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ સહીત અનેક જિલ્લાઓમાં સુરતમાં બનેલી ટોપી જશે. ટોપી પર અયોધ્યા મંદિર, ભગવાન શ્રી રામની તસ્વીર અને જય શ્રી રામના લખાણ હશે. એક ટોપીની કિંમત 30 થી 35 રૂપિયા હશે.

સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસી પહેરશે

રામમંદિરમાં સ્થાપિત થનારી ભગવાન રામની મૂર્તિ 51 ઈંચ ઉંચી, 1.5 ટન વજન અને બાળક જેવી નિર્દોષતા ધરાવે છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો મૂર્તિના કપાળને પ્રકાશિત કરશે. 16 જાન્યુઆરીથી મૂર્તિની પૂજા શરૂ થશે અને 18 જાન્યુઆરીએ તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂર્તિ પર પાણી, દૂધ અને આચમનની કોઈ વિપરીત અસર નહીં થાય. ચંપત રાયે કહ્યું કે ત્રણ શિલ્પકારોએ ભગવાન શ્રી રામની અલગ-અલગ મૂર્તિ બનાવી, જેમાંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવી. જેનું વજન 1.5 ટન અને પગથી કપાળ સુધીની લંબાઈ 51 ઈંચ છે.

Lord Ram's cap made in Surat will be worn by residents of Ayodhya

ચંપત રાયે કહ્યું કે રામ મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાના મંદિરો પણ બનાવવામાં આવશે. આ સિવાય અહીં પહેલા જ જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ચંપત રાયે કહ્યું કે મંદિરનું સ્થાપત્ય દક્ષિણ ભારતના મંદિરોથી પ્રેરિત છે. કન્સ્ટ્રક્શન એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં છેલ્લા 300 વર્ષમાં આવું કોઈ મંદિર બન્યું નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે પથ્થરની ઉંમર 1,000 વર્ષ હોવા છતાં, સૂર્યપ્રકાશ, પવન અને પાણી તેને અસર કરી શકશે નહીં કારણ કે ભેજનું શોષણ અટકાવવા માટે નીચે ગ્રેનાઈટ સ્થાપિત કરવામાં આવી છે.

ચંપત રાયે કહ્યું કે રામલલાની મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કારણ કે તે મૂર્તિને નબળી બનાવે છે. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમ જેમ સમય વધતો જશે તેમ જમીનની નીચે એક ખૂબ જ મજબૂત ખડક બનશે. જમીન ઉપર કોઈપણ પ્રકારના કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે કોંક્રીટની ઉંમર 150 વર્ષથી વધુ નથી. દરેક કામ કરતી વખતે ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી

Vivek Radadiya

અમેરિકા રહેતા આ યુવકે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સુરત પ્લેન મોકલ્યું. પોતાની પાસે બોલાવી લીધા..

Abhayam

સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

Abhayam