Abhayam News
AbhayamGujarat

ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા

Lord Rama was not a vegetarian but a carnivore

ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા ડો.જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, કોઈ ગમે તે કહે પણ સત્ય એ છે કે ગાંધી અને નેહરુના કારણે જ આપણને આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત આરએસએસને સ્વીકાર્યને સ્વીકાર્ય નથી

Lord Rama was not a vegetarian but a carnivore

શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે.  આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર આવ્હાડે નવો વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા છે.

ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા

બુધવારે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં અવહાડે કહ્યું કે ભગવાન રામ શાકાહારી નથી, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ 14 વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? તેમણે જનતાને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે નહીં?

તેમણે કહ્યું, ‘કોઈ ગમે તે કહે, સત્ય એ છે કે આપણને ગાંધી અને નેહરુના કારણે જ આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત તેમને (RSS) સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું.                    

Lord Rama was not a vegetarian but a carnivore

કર્ણાટકમાં પણ હોબાળો

નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો વિવાદ સર્જાયો છે. શ્રીકાંત પૂજારીની 31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે ભાજપ ગુસ્સે છે. તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે આમાં કોઈ રાજકારણ નથી અને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ધરપકડ થઈ તે માત્ર સંયોગ છે.

સીએમનું કહેવું છે કે, શ્રીકાંત ગેરકાયદેસર દારૂનું વેચાણ, જુગાર સહિત 16 અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. જો આવા લોકોની ધરપકડ કરવામાં નહીં આવે અને મુક્તપણે ફરવા દેવામાં આવશે તો ભગવાન રામ પણ તેને માફ નહીં કરે. આ બધાની વચ્ચે સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ પણ નવો વિવાદ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે જો ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તો ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવું થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

‘ઈન્ડિયન 2’નું ટીઝર 

Vivek Radadiya

વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ જાહેરનામું

Vivek Radadiya

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં લાગુ થયું 7 દિવસનું લોકડાઉન….

Abhayam