Abhayam News
National Heroes

“કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો

વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. 1997 માં, વિક્રમ બત્રાને વેપારી નૌકાદળમા નોકરીનો કોલ મળ્યો પરંતુ લેફ્ટનન્ટ તરીકેની નોકરીમાંથી બહાર નીકળી ગયા.

પાલમપુરમાં જી.એલ. બત્રા અને કમલકાંતા બત્રાના ઘરે સપ્ટેમ્બર 9, 1974 ના રોજ તેઓએ બે દીકરીઓ પછી બે જોડિયાઓને જન્મ આપ્યો. તેમણે બંનેનું નામ લવ-કુશ રાખ્યું. લવ એટલે વિક્રમ અને કુશ એટલે વિશાલ.

વિક્રમનુ ઍડમિશન પેહલા ડિવી સ્કૂલ અન ત્યારબાદ સેન્ટ્રલ સ્કૂલ પાલમપૂરમા કરવામા આવ્યુ. પરંતુ સ્કૂલ ભારતીય સેનાની છાવણીમા હોવાથી ભારતીય સેનાની શિસ્ત જોયી તેમજ પોતાના પીતાજી પાસેથી દેશ-પ્રેમ વિશેની વાતો સાંભળી નાનપણથી જે વિક્રમને દેશપ્રેમ દિલમા જાગી ગયેલો.

તે ભણવાંમા બહુ હોશિયાર નહોતા પરંતુ ટેબલ્ ટેનિસના ઉંચા દરજાના ખેલાડી હતા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમોમા ભાગ લેવામા નાનપણથી જે ખૂબ ઉત્સાહી હતા.

ચંડીગઢ ખાતે કોલેજના દિવસો દરમ્યાન

જુલાઈ 1996 મા ભારતીય સેના ઍકેડ્મી દેહરાદૂન ખાતે ઍડમિશન લીધુ. ડિસેમ્બર 1997 મા શીક્ષણ પૂર્ણ કર્યા પછી 6 ડિસેમ્બર 1997 ના રોજ જમ્મૂના સોપોર નામની જગ્યા પર ભારતીય સેનાની 13 મી જ્મ્મૂ કાશ્મીર રાયફલ્સમાં લેફટિનંટના પદ ઉપર નિમણૂક કરવામા આવી.

વાંચો આગળ..!! ‘શહીદ ભગતસિંહ’ – કેવું રહ્યું તેમનું જીવન!

વિક્રમ બતરાઍ 1999 મા કમાન્ડો ટ્રેનિંગની સાથે અન્ય ઘણી સેનાની ટ્રેનિંગ પણ લીધી અને 1લી જૂન 1999 માં ઍમની ટુકડીને કારગીલના યુદ્ધમા મોકલવામા આવી.

ઍના પછી શ્રીનગર-લેહના રસ્તાની ઠીક બધાથી ઉપર પોઈન્ટ 5140 ચોટીને પાકિસ્તાનની સેના પાસેથી છોડાવવાની જવાબદારી પણ કેપ્ટ્ન વિક્રમ બતરાને આપવામા આવી.

હમ્પ અને રાકી નાબ આ બંને જગ્યાને જીત્યા પછી ઍ જે સમયે વિક્રમ બતરાને કેપ્ટ્ન બનાવવામા આવ્યા.

વિક્રમ બત્રાઍ જ્યારે આ ચોટી ઉપરથી રેડીઓ પર “યે દિલ માંગે મૉર” કહ્યુ તો ખાલી ભારતીય સેનાજ નહી પરંતુ આખા ભારતમાં ઍનુ નામ છવાઈ ગયુ.

વાંચો આગળ..!! ‘શહીદ ભગતસિંહ’ – કેવું રહ્યું તેમનું જીવન!

બીજે દિવસે જ્યારે ચોટી પર તીરંગા સાથે પેપરમા ફોટો આવ્યો તો દેશના દરેક લોકો તેના દીવાના થઈ ગયા.

1999 Kargil war with Pakistan

ઍના પછી ભારતીય સેના દ્વારા પોઈન્ટ 4875 ને પણ કબ્જામા લેવાનુ અભિયાન શરૂ કરી દેવામા આવ્યુ અને આ પોઈન્ટની જવાબદારી પણ વિક્રમ બત્રાને સોંપવામા આવી. તેને પોતાની જીવની ચિંતા કર્યા વગર લેફટિનંટ અનુજ નાયર સાથે મળીને અનેક પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા.

કારગીલના યુદ્ધ દરમિયાન ઍમનુ કોડનામ “શેરશાહ” હતુ. આ નામ ઍમને પોઈન્ટ 5140 પર અગમ્ય સાહસ અને હિમ્મત બદ્લ આપવામાં આવ્યુ હતુ.  

કારગિલ યુદ્ધમાં કેપ્ટ્ન વિક્ર્મ બત્રા 7 જુલાઈ ના દિવસે શહીદ થયા હતા. આ નવયુવાને બતાવી દીધૂકે ભારતના સૈનિકો કોઈથી કમ નથી.


ભારતીય સેના દ્વારા પોઈન્ટ 4875 ને પણ કબ્જામા લીધુ.

કારગીલના યુદ્ધમાં સૌથી મહત્વના પાંચ પોઈન્ટ જીતવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. બધાનો ગમતો વિક્ર્મ બત્રાને શહીદ થયા પછી 15 ઓગસ્ટ 1999 ના દિવસે ભારતીય સેનાના સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

તેમણે શહીદ થતા પેહલા ઘણા સાથીયોના જીવ બચાવ્યા અને ઍમના વિષે ખુદ ભારતીય સેનાના વડા ઍવુ કહેલુ કે ” જો તે જીવતા પાછો આવત્ તો, ભારતીય સેનાનો વડો બની ગયો હોત.”

વિક્રમ બત્રાનો ઍ ડાયલોગ “યે દિલ માંગે મૉર” ખૂબ પ્રખ્યાત થયો જ્યારે પણ કોઈ પોઈન્ટ પર વિજય મેળવે ત્યારે બસ આ ડાયલોગજ બોલ્યા ક્રે.

તમને જણાવીયે કે ઍમનુ શરૂઆતનુ શિક્ષણ માટે કોઈ સ્કૂલમાં ગયા નથી. ઍમનુ શરૂઆતનુ ભણતર ઘરમાજ થયુ હતુ અને ઍમના શિક્ષક હતા ઍમના મમ્મી.

તમને જણાવીયે કે 16 જૂનના દિવસે કેપ્ટ્ન દ્વારા પોતાના જુડવા ભાઈ વિશાલને દ્વાક્ષ સેક્ટ્રથી ચિટ્ઠી દ્વારા લખ્યુ –

 “પ્રિય -કુશ , માતા-પિતાનુ ખ્યાલ રાખજે હવે અહિયા કાઈ પણ થઈ શકે છે.”

કેપ્ટ્ન વિક્રમ બત્રા અને પરમ વીર ચક્ર

Related posts

દેશપ્રેમ :: પુલવામાં એટેકમાં શહીદ થયેલ મેજરના પત્ની આર્મીમાં જોડાયા

Abhayam

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam

1857થી 1947 સુધીની એવી સ્વતંત્ર સંગ્રામની 10 ઘટનાઓ…

Deep Ranpariya

Leave a Comment