Abhayam News
Abhayam

ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા

ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા રાજ્યમાં અનેકવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં તસ્કરો નેતાઓના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે. આ અગાઉ અરવલ્લીમાં એક નેતાના ઘરે ચોરી બાદ હવે ગીર સોમનાથ ભાજપ નેતાના ધરે ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ તસ્કરોએ ભાજપ નેતાના ઘરને નિશાન બનાવીને રૂ.21 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. 

ગીર સોમનાથના સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં ભાજપ નેતાના ઘરે ચોરીની ઘટના બની છે. માહિતી મુજબ ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરે રૂ.21 લાખની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરો રૂ,6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાની ચોરી  કરી પલાયન થઈ રહ્યા હતા. કેશુભાઈ જાદવ જિ.પંના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. આ તરફ હવે ચોરીને લઈ સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી..

Abhayam

ચેન્નાઈથી પુણે ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઈઝનિંગચેન્નાઈથી પુણે 

Vivek Radadiya

આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો

Vivek Radadiya