Abhayam News
AbhayamGujaratLife Style

ગરબા રમવાથી કઇ રીતે આવે છે હાર્ટ એટેક?

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ગરબા જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન અચાનક આવતા હાર્ટ એટેકના વિવિધ કારણો હોઈ શકે છે, જેમાં અગાઉની કોઇ મેડિકલ પરિસ્થિતિઓ, શારીરિક શ્રમ અને પર્યાવરણીય પરિબળોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના મન્સુરીએ જણાવ્યું હતું કે, “રમતગમત અને નૃત્યની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, ખાસ કરીને ગરબા જેવી હાઇ ઇન્ટેન્સિટી ઇવેન્ટ્સ દરમિયાન, આવી સમસ્યા વધી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર સહિત હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.”

યુવાનો સહિત ઘણા લોકોમાં અજાણ્યે જ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવા જોખમી પરિબળો હોઇ શકે છે, જે તેમને આવી ઇવેન્ટ્સ દરમિયાન કાર્ડિયાક સમસ્યાઓનો શિકાર બનાવે છે. કોલકતાની એનએચ આર.એન.ટાગોર હોસ્પિટલના કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ ડો. દેબદત્તા મજુમદારે સલાહ આપી હતી કે, “લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું, હાઇડ્રેટેડ રહેવું અને આવા સેલિબ્રેશન દરમિયાન તેમની શારીરિક મર્યાદાઓથી વધારે હાઇ ઇન્ટેસિક પ્રવૃત્તિઓ ન કરવી જોઇએ.”

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામના કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીના ડિરેક્ટર અને વડા ડો.ઉદગેથ ધીરે જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં યુવાનો પરિવાર સંબંધિત હૃદયની સમસ્યાઓના કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટનો અનુભવ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ ખૂબ જ ઇમોશનલ અથવા ફિઝીકલ રીતે તણાવમાં હોય છે. તેના કારણે હ્યદયની સમસ્યા અથવા મોતની શક્યતાઓ વધી શકે છે.”

જ્યારે શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સમાં અસંતુલન હોય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે, જે ડાન્સ અથવા કસરત જેવી પ્રવૃત્તિઓ દરમિયાન થઈ શકે છે. સામાન્ય કામ અથવા દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન તેમાં કોઈ સમસ્યા અથવા લક્ષણો ઉભા થતા નથી અને તેથી કોઈનું ધ્યાન જતું નથી.

સાઓલ હાર્ટ સેન્ટરના છજેરે જણાવ્યું હતું કે

સાઓલ હાર્ટ સેન્ટરના છજેરે જણાવ્યું હતું કે, “તહેવારો દરમિયાન હૃદયને લગતી સમસ્યાઓ માટે તબીબી સહાય મેળવવા માંગતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે”. તેમની મુખ્ય ફરિયાદો શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થવાની હોય છે. ડિહાઇડ્રેશન, નબળું ડાયટ અને અતિશય શારીરિક પ્રવૃત્તિ એ તે માટેના કેટલાક જવાબદાર પરિબળો છે. આ તહેવારો દરમિયાન ગરમી અને અતિશય પ્રવૃત્તિને કારણે હૃદયમાં તણાવ ઊભો થઈ શકે છે.” તેમણે સૂચવ્યું હતું કે, ખાસ કરીને યુવાનોએ હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ ઘટાડવા માટે હાઇડ્રેટેડ રહેવું જોઈએ અને વધુ પડતી માત્રામાં ખાંડ અથવા ચરબીવાળો આહાર લેવાનું ટાળવું જોઈએ

શા માટે યંગસ્ટર્સ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર?

ભારતમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે, જે કોવિડ પછીની જટિલતાઓ, હવાનું પ્રદૂષણ અને અલહેલ્થી લાઇફસ્ટાઇલ સહિતના વિવિધ પરિબળોના કારણે છે. અમદાવાદની નારાયણા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો.ઝીશાન મન્સુરીએ ન્યૂઝ18ને જણાવ્યું કે, “અમે યુવાન દર્દીઓમાં હાર્ટ એટેકનો વધતો દર જોઇ રહ્યા છીએ. “પહેલા 10 દર્દીઓમાંથી 1ની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. પરંતુ હવે 10માંથી 3 દર્દીઓની ઉંમર 30 વર્ષથી ઓછી હોય છે.” નવી દિલ્હીના સાઓલ હાર્ટ સેન્ટરના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ અને ડિરેક્ટર ડો.બિમલ છજેરે પણ જણાવ્યું હતું કે, તેઓ યુવાનો અને આધેડ વયના બંને વર્ગના લોકોને વિવિધ લક્ષણો સાથે ઓપીડીમાં આવતા જોઇ રહ્યા છે.

એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર છજેરે જણાવ્યું

એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર છજેરે જણાવ્યું હતું કે, અગાઉ ખૂબ જ ગંભીર લક્ષણો, ધમનીઓમાં અવરોધ અને કાર્ડિયાક એરેસ્ટ અથવા કાર્ડિયાક સ્ટ્રેઇનની ફરિયાદ 10 ટકા દર્દીઓમાં હતી. પરંતુ આ ટકાવારી હવે વધીને લગભગ 25 ટકા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Vivek Radadiya

લગ્ન કરો વર્લ્ડકપ જીતો

Vivek Radadiya

સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા

Vivek Radadiya