Abhayam News
AbhayamGujarat

હવેથી અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારમાં દારૂ નહીં મળે

From now on, alcohol will not be available in the 84 kos parikrama area of ​​Ayodhya

હવેથી અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારમાં દારૂ નહીં મળે ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નિતિન અગ્રવાલે જણાવ્યું કે, રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે. નિતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદીરા મુક્ત કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, 84 કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. 

From now on, alcohol will not be available in the 84 kos parikrama area of ​​Ayodhya

હવેથી અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારમાં દારૂ નહીં મળે

શ્રી રામ એરપોર્ટનો ઉદ્ધાટન કરાશે
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પતિષ્ઠાની તૈયારીઓ જોર સોરથી ચાલી રહી છે. જેના કારણે અયોધ્યામાં પ્રદેશ મંત્રીઓની સાથે આલા અધિકારીઓનો પણ જમાવડો લાગેલો રહે છે. પ્રાણ પતિષ્ઠા પહેલા 30 ડિસેમ્બરના રોજ PM મોદી શ્રી રામ એરપોર્ટનો ઉદ્ધાટન કરવા માટે આવશે. પ્રાણ પતિષ્ઠાને ઐતિહાસિક બનાવવા માટે ડબલ એન્જિનની સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે. જેથી દુનિયા પણ કળયુગમાં દ્વાપર યુગના દર્શન કરી શકે.

યોગી આદિત્યનાથે સંકેત આપ્યા હતા
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ચૂકી એ એક ધાર્મિક નગરી છે. જેના માટે જનભાવનાઓનો સન્માન કરવો જોઈએ. અહી માસ અને દારૂના સેવન પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમણે એમ કહ્યુ હતું કે, ધર્મ નગરી અયોધ્યા શહેરી વિકાસનો મોડલ હોવી જોઈએ. તેમણે વિવિધ વિકાસ કાર્યોની પણ વાત કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે

Vivek Radadiya

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

Vivek Radadiya

Jio યૂઝર્સ માટે ખુશખબરી

Vivek Radadiya