Abhayam News
AbhayamNews

જાણો કારણ:-CBIએ આ ત્રણ રાજ્યોમાં પાડયા દરોડા…

CBIની એન્ટી કરપ્શન બ્રાન્ચે ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ ફરીયાદના આધારે 30 નવેમ્બર 2017માં નવો કેસ દાખલ કરાવ્યો હતો..

500 કરોડના પ્રોજક્ટની 95 ટકા રકમ ચાઉં કરી ગયા અધિકારીઓ, CBIએ 3 રાજ્યોમાં પાડ્યા દરોડા…

અખિલેશ સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક ગોમતી રિવર ફ્રંટમાં થયેલા કૌભાંડમાં સોમવારે CBIએ પરિયોજના સાથે જોડાયેલા 190 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમાંથી ઘણા સુપ્રિટેન્ડ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર શામેલ છે. આ ઉપરાંત યુપી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં 40 જગ્યાઓ પર એક સાથે છાપેમારી કરવામાં આવી છે. લખનૈઉ, કલકત્તા, અલવર, સીતાપુર, રાયબરેલી, ગાજિયાબાદ, નોએડા, મેરઠ, બુલંદશહર, ઈટાવા, અલીગઢ, એટા, ગોરખપુર, મુરાબાદ અને આગરામાં એક સાથે છાપેમારી કરવામાં આવી.

CBIએ 190 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી…


30 નવેમ્બર 2017માં નવો કેશ દાખલ કરવામાં આવ્યો હતો…


કાર્ય પૂર્ણ કર્યા વગર જ બજેટના 95 ટાકા રકમ કઈ રીતે ખર્ચ થઈ ગઈ?

મહત્વનું છે તે સીબીઆઈ લખનૈઉના એન્ટી કરપ્શન બ્રાન્ચે પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસને આધાર બનાવીને 30 નવેમ્બર 2017માં નવો કેશ દાખલ કરવામાં આવ્યો હતો..

જણાવી દઈએ કે 2017માં યોગી સરકારના સત્તામાં આવ્યા બાદ જ કૌભાંડવી આ વાત સામે આવી હતી. જ્યાર બાદ સરકારે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. ઈલાહાબાદ હાઈકોર્ટના સેવાનિવૃત્ત જજ ન્યાયમુર્તિ આલોક સિંહની અધ્યક્ષતામાં ગઠિત સમિતિમાં તપાસમાં દોષી મળેલા એન્જિનિયર અને અધિકારીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની વાત કહેવામાં આવી હતી. ત્યાર બાદ 19 જૂન 2017માં સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડો. અંબુજ દ્વિવેદીએ ગોમતીનગર પોલીસમાં ફ્રોડ સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તપાસ એજન્સી સીબીઆઈનો સોંપી દીધો છે.  

હકીકતે રિવર ફ્રંટ કૌભાંડમાં સીબીઆઈ એક આરોપની તપાસ કરી રહી રહ્યા છે કે પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત કાર્ય પૂર્ણ કર્યા વગર જ બજેટના 95 ટાકા રકમ કઈ રીતે ખર્ચ થઈ ગઈ? પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રોજેક્ટમાં મન ફાવે તેમ ખર્ચ બતાવીનને સરકારી ધનનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ લગભગ 1513 કરોડ રૂપિયાનો હતો. જેમાંથી 1437 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા બાદ પણ અત્યાર સુધી 60 ટકા કામ પુરુ નથી થયું. આરોપ એ છે કે જે કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે તે પહેલાથી ડિફોલ્ટર હતી. ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

X પર બ્લુ બેજ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Vivek Radadiya

ભારતની અડધાથી વધુ વસ્તી પોષક આહાર નથી લઇ શકતી

Vivek Radadiya

જળસંરક્ષણ માટે અપનાવી ક્રાંતિકારી રીત

Vivek Radadiya

1 comment

Comments are closed.