બોટાદના ગઢડામાં વિદ્યાર્થિનીના ગુમ થવા મુદ્દે ખુલાસો બોટાદનાં ગઢડામાં વિદ્યાર્થીનીના ગુમ થવા મુદ્દે ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીને પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીની ઘરેથી નીકળી હોવાનો ખુલાસો થયો હતો. ધો. 5 માં અભ્યાસ રકરી વિદ્યાર્થીની સ્કૂલ માટે ઘરેથી નીકળી હતી. પરંતું સ્કૂલમાં ન જઈને વિદ્યાર્થીની કપડા બદલીને અમરેલી પહોંચી હતી. વિદ્યાર્થીની ગારિયાધારથી અમરેલી પહોંચ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસને ગુમ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી હતી. યુવતીની પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.
બોટાદના ગઢડામાં વિદ્યાર્થિનીના ગુમ થવા મુદ્દે ખુલાસો
સગીર બાળકીની પૂછપરછ હાલ ચાલુ છેઃ મહર્ષિ રાવલ (Dy.Sp)
આ સમગ્ર મામલે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, બાળકી સવારે 10 વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળી હતી. અને ગઢડાથી બસમાં બેસી ગારીયાધાર ગઈ હતી. ત્યારે બાદ પાલિતાણા અને ત્યાર બાદ ભાવનગર પહોંચેલ. બાળકી દ્વારા કપડા બદલવામાં આવ્યા હતા.
તેમજ ટેકનિકલ સર્વેલન્સનાં આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડે હોઈ ટીમે તાત્કાલીક ત્યાં પહોંચી જઈ છોકરીને રીકવર કરેલ છે. ત્યારે આ સગીર બાળકીની પૂછપરછ હાલ ચાલુ છે. ત્યારે બાળકીને ભણવા બાબતે તેનાં પિતા દ્વારા ઠપકો આપેલ હોઈ તેવી હકીકત હાલ હાલ સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે