Abhayam News
AbhayamSocial Activity

107 બ્લડ યુનિટ એકત્રિત કરી પોતાના જન્મદિવસની યુવાને કરી અનોખી ઉજવણી..

કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સામાજીક કાર્યમાં સક્રિય એવા જાગૃત યુવાન અતુલભાઈ વાડદોરિયા એ પોતાના 27માં જન્મદિવસ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે સહુને પ્રેરિત કર્યા હતા, લાલ દરવાજા ખાતે સેવીયર વોલ્યુંટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરમાં કુલ 107 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા,

વિદ્યા વિકાસ એજયુકેશન ટ્રસ્ટ યુવા ટીમ અને વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહિયારા સહયોગ થી અને અવિનાશભાઈ લાઠીયાનાં સહકારથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર ધનશ્યામભાઈ લખાણી તેમજ ભાગવત કથાકાર અરૂણદાદા રાધેશ્યામ, વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ભુપતભાઈ સુખડીયા, સરદારધામ વતી વિપુલ સાચપરા અને જીલ પટેલ સ્વ સર્જન ફાઉન્ડેશન અમદાવાદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

આ કેમ્પમાં રકતદાતાઓને હરભોલે ચકલી બચાવો અભિયાન ના પ્રણેતા રાજેશભાઈ સરધારા અને સંતકૃપા ફરસાણ તરફથી ગીફ્ટમાં ચકલીઘર આપવામાં આવ્યાં હતાં તથા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બેકરી પ્રોડક્ટ્સ ગીફ્ટ આપવામાં આવી હતી સાથે દરેક રકતદાતા ને સન્માનપત્ર આપવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

ભાજપમાં સક્રિય આગેવાન 200 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા….

Abhayam

માણી લો કાંકરિયા કાર્નિવલની મજા ! 

Vivek Radadiya

રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર! 

Vivek Radadiya

116 comments

Comments are closed.