Abhayam News
AbhayamGujaratSports

હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ

હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ ઈંગ્લેન્ડના સામે આ રવિવારે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને પહોંચેલી ઈજાના કારણે તે વિશ્વ કપની બીજી બે મેચોમાં ભાગ નહીં લે. તેનો મતલબ પંડ્યા રવિવારને ઈંગ્લેન્ડ અને પછી શ્રીલંકાના સામે યોજાવવા જઈ રહેલી મેચોમાં પણ ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ઓલરાઉન્ડર 5 નવેમ્બરે દક્ષિણ આફ્રીકા અને પછી નેધરલેન્ડના સામે વિશ્વ કપની છેલ્લી બે લીગ મેચો માટે ઉપલબ્ધ રહેશે. 

બાંગ્લાદેશ સામેની મેચમાં પહોંચી હતી ઈજા 

બાંગ્લાદેશ સામેની મેચમાં પહોંચી હતી ઈજા 
એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે પુણેમાં બાંગ્લાદેશના સામેની મેચમાં ઘૂંટણમાં ઈજા પહોંચવાના કારણે હાર્દિક પંડ્યાએ બોલિંગ નાખવાનું શરૂ ન હતું કર્યું. મેડિકલ ટીમ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તેમના ઠીક થયા બાદ થોડી બીજા દિવસ રાહ જોશે. તેમની મુંબઈ કે કોલકત્તામાં ભારતીય ટીમ સાથે જોડવવાની આશા રાખવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ

ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાની વાપસીમાં ઉતાવળ નથી કરવા માંગતી. ટીમને આશા છે કે તે છેલ્લી બે લીગ મેચ માટે સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે. આ વિશ્વ કપમાં ભારતીય ટીમ જીતની લયમાં છે. એવામાં ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે સેમીફાઈનલ માટે પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ થઈને વાપસી કરે.

હાર્દિક પંડ્યાએ ગયા 22 ઓક્ટોબરે ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ન હતી રમી અને તેમને સારવાર માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાંત ડોક્ટરની દેખરેખમાં તેમની સારવાર થઈ હતી. શરૂમાં આ વાતની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી કે પંડ્યા ઈંગ્લેન્ડના સામે 29 ઓક્ટોબરની મેચ માટે ફિટ થઈ જશે પરંતુ ટેસ્ટ અને સ્કેન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

Vivek Radadiya

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

Abhayam

સુરતમાં વધુ એક દુષ્કર્મ ઘટના,જાણો કોણે દુષ્કર્મ આચર્યું…?

Abhayam