Abhayam News
AbhayamGujaratLife Style

આ છોડનું ચૂર્ણ ખાવાથી ગમે તેવા ટેન્શન હશે તો પણ દૂર થઈ જશે

ashvaghandha

અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણો ઉત્તરાખંડને અહીંની જડીબુટીઓના કારણે ઓળખવામાં આવે છે. અહીં મળતા અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે, જેને આયુર્વેદમાં ખૂબ જ મહત્વપૂર્ણ જડીબુટી કહેવાય છે. તેના નિયમિત સેવનથી કેટલીય ઘાતક બીમારીઓથી શરીરને બચાવી શકાય છે.

અશ્વગંધામાં એન્ટીઓક્સિડેંટ, લીવર ટોનિક, એન્ટી ઈંફ્લેમેટરી, એન્ટી બેક્ટીરિયલની સાથે સાથે અન્ય પણ કેટલાય પોષક તત્વો હોય છે. જે બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણો આ ઉપરાંત તેમાં એન્ટી સ્ટ્રેસ ગુણ પણ હોય છે, જે આપને તણાવ મુક્ત કરવામાં મદદ કરે છે. કેન્સર જેવી ખતરનાક બીમારીમાં પણ આ ગુણવાન ઔષધિ લાભદાયી છે. કેટલાય રિસર્ચમાં સામે આવ્યું છે કે, તેના સેવનથી કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે.

અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણો

હલ્દ્વાનીમાં આવેલા વન અનુસંધાન કેન્દ્રના વન ક્ષેત્રાધિકારી મદન સિંહ બિષ્ટે જણાવ્યું છે કે, જો આપ આયુર્વેદમાં થોડો ઘણો રસ ધરાવો છો, તો આપને અશ્વગંધાનું નામ જરુરથી ખબર હશે. આ એક પ્રાચીન અને મહત્વપૂર્ણ જડીબુટી છે. તેનો ઉપયોગ જીવનની અનેક પ્રક્રિયાઓમાં થાય છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં લાભ પહોંચા઼ડવાની ખૂબીના કારણે તેને ભારતીય જિનસેંગ પણ કહેવાય છે.

તેમણે જણાવ્યું છે કે, સવારે ખાલી પેટ અશ્વગંધા ખાવાથી તણાવ અને ટેન્શનના લક્ષણો દૂર થાય છે. આપને જણાવી દઈએ કે, અશ્વગંધાના સેવનથી કોર્ટિસોલનું સ્તર ઓછું થાય છે. જેનાથી તણાવ કમ થાય છે.

અશ્વગંધા આપના મૂડને સારુ બનાવવામાં મદદ કરી શકે છે. એટલા માટે જે લોકોને તણાવ અથવા ટેન્શન છે, તેમના માટે અશ્વગંધાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

મદન સિંહ બિષ્ટ કહે છે કે, પુરુષોમાં ઈનફર્ટિલિટી અને નપુસંકતાની સમસ્યાને દૂર કરવા માટે અશ્વગંધા સારી આયુર્વેદિક ઔષધિ સાબિત થાય છે. પુરુષોમાં શીધ્રપતન ઉપરાંત સ્પર્મ કાઉંટ કમ થવાની સમસ્યા પણ ખૂબ જ વધારે જોવા મળે છે. જે લોકોમાં આ સમસ્યા છે, તેમને અશ્વગંધાનું સેવન જરુરથી કરવું જોઈએ.

તેમણે જણાવ્યું છે કે, અશ્વગંધા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે એંઝ્યાટીથી લડવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી માનસિક તાકતમાં વધારો થાય છે. તેના સેવનથી સારામાં સારી ઊંઘ આવે છે. તે પુરુષોને યૌન સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. એક શોધમાં એ સામે આવ્યું છે કે તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ટેસ્ટાસ્ટરોનની માત્રામાં વધારો થાય છે.

અશ્વગંધાના છોડના મૂળ બજારમાં સુકાયેલા, પાઉડર તરીકે અને તાજા પણ મળી આવે છે. અશ્વગંધા તેલ તથા કેપ્સૂલ તરીકે પણ મળે છે. હવે બજારમાં તેની કેપ્સૂલ પણ મળવા લાગી છે. જેનું સેવન કરવું સરળ થઈ ગયું છે.

ઘણા લોકો પરંપરાગત રીતે તેનો પાઉડર ઉપયોગ કરે છે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, અશ્વગંધાનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. વધારે માત્રામાં તેનું સેવન કરવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો વળી ગર્ભવતી મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગૃહમંત્રીનું રાજીનામું: હવે પાટીલ સંભળાશે ગૃહમંત્રીનો પદભાર- જાણો જલ્દી…

Kuldip Sheldaiya

હવે આખી દુનિયા IPL જોવા માટે ઉત્સુક

Vivek Radadiya

જાણો:-નિખિલ સવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું…

Abhayam