Abhayam News
AbhayamSocial Activity

આજે વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે દિવ્યધામ મંદિર ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો..

ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે… દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે સતત દમ તોડી રહ્યા છે.ગુજરાત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે

સુરત, તા.૧૩, અત્યારે ચાલી રહેલ કોરોનાની મહામારીમાં લોહીની બહુજ આવશ્યકતા પડી રહી છે. ત્યારે દિવ્યધામ મંદિર ટ્રસ્ટ – વલારડીની પ્રેરણાથી દિવ્યધામ સમિતિ સુરત દ્વારા આજે વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.


તા. ૧૩ના રોજ લોકસમર્પણ રકતદાન કેન્દ્ર, મીની બજાર વરાછા ખાતે સવારે ૧૦ થી બપોરના ૨ વાગ્યા સુધી રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ૧૦૦થી વધુ રકતદાતાઓ એ રકતદાન કરીને આ મહામારીના સમયમાં અમૂલ્ય યોગદાન આપેલ હતું.

આ રકતદાન કેમ્પને સફળ બનાવવામાં દિવ્યધામ સમિતિ સુરતએ અથાગ પ્રયત્નો કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વોકલ ફોર લોકલમાં નાના વિક્રેતાઓને લાભ કેટલો?

Vivek Radadiya

માંડલેશ્વર નો ઇતિહાસ ન જિલ્લો, ન તાલુકો; છતાં આ શહેરમાં આવેલી છે ડિસ્ટ્રીક્ટ કોર્ટ, અનોખું છે કારણ

Vivek Radadiya

દર 3 મહિને એકવાર હોસ્પિટલમાં મોકડ્રીલ કરવી

Vivek Radadiya