Abhayam News
AbhayamNews

ખાડી ઊંડી કરવા હવે ફરી કરોડો ખર્ચાશે,પંપ મુક્યાના 12 કલાકે પણ નિકાલ નહિ.

પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીઓમાં પૂર સંકટ તોળાવા માંડ્યું છે. પુણાના અર્ચના તથા પરવટ ગામના માધવબાગ વિસ્તારમાં રોડ ઉપર કમર સુધીના ખાડીના પાણી ભરાઈ જતાં ખાડી ડ્રેજિંગ તથા 300 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટના પાલિકાના દાવાની પોલ પણ ખુલી ગઇ છે. 24 કલાક બાદ પણ આ વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી. જેના લીધે જન જીવન ખોરવાયું છે. પુણા વિસ્તારના 12 હજાર લોકો તો રીતસરના ઘરોમાં કેદ થઈ ગયા હતા.

કામરેજના ઉપરવાસના બેલ્ટથી બંને કાંઠે વહી રહેલી ખાડીમાં સડસડાટ ધસી આવેલા પાણી સણિયા, મિડલ રિંગરોડ વિસ્તારમાં જોખમી લેવલ ક્રોસ કરી રોડ ઉપર છલકાયાં હતાં. કુંભારિયા ગામના હળપતિવાસમાં અઢી ફૂટથી વધુ પાણી ભરાતાં 10 પરિવારોને શિફ્ટ કરાયા હતા. છેલ્લે સુધી કોરોના કામગીરીના બહાના ધરી યોગ્ય રીતે ડિ-સિલ્ટિંગ કામગીરી ન કરી શકેલા પાલિકાના તંત્રને લિંબાયતના બે સ્થળો પર ડિ-વોટરિંગ પંપ મુકવાની ફરજ પડી હતી. હવે મેયરના મતે ખાડીના ડ્રેજિંગ માટે ફરી કરોડોનું આંધણ કરવું પડશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી બાબતના લીધે સ્થાનિકો વધુ એક વખત ખાડી પૂરના જોખમ વચ્ચે લાચારીમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે પગાર:- કર્મચારીઓ માટે મોટી ખુશખબર..

Abhayam

22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજા આપવા ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

Vivek Radadiya

ભારતીય ટીમનો IPL 2024 સુધીનો સમગ્ર શેડ્યુલ

Vivek Radadiya

1 comment

Comments are closed.